કાશ્મીરમાં ગુમ જવાન 7 દિવસે મળ્યો, કારમાં મળ્યા લોહીના નિશાન
કાશ્મીરમાં કુલગામથી સેનાનો જવાન જાવેદ અહમદ વાની 25 છુટ્ટીમાંથી પરત ફરવાના એક દિવસ પહેલા ગુમ થઇ ગયો હતો. તેની કારમાથી લોહીના નિશાન જોવા મળ્યા હતા. આશંકા હતી કે તેમનુ અપહરણ કરવામાં આવ્યુ છે. ઘટના ગયા મહિને 29 જુલાઇના બની હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ લગાતાર જમ્મુ કાશ્મીર પોલીસ જવાનની તલાશમાં હતી.

સૈનિકના ાઇ મુદાસિસ અહમદ વાની અનુસાર જવાનની કાર કુલગામના અચથલ વિસ્તારમાથી લાવારિસ હાલમાં મળી. મુદાસિરે જણાવ્યુ હતુ કે, 29 જુલાઇના સાંજે 7 વાગ્યા બાદ ઘરથી બાજાર જવા માટે નિકળ્યા હતા. પરંતુ થોડી વાર બાદ જાણવા મલ્યુ કે, તેમન કાર લાવારિસ હાલતમાં પડીમળી હતી. જ્યારે ત્યાં ગયા તો કાર પર લોહીના નિશાન જોવા મળ્યા હતા .
ગુમ થયા એક દિવસ પહેલા લદ્ધાખમાં પરત ડ્યુટી જોઇંટ કરવાનર હતા. જમ્મુ કાશ્મીર પલીસે એક પોસ્ટમાં કહ્યુકે, સેનાના જવાન, જે છુટ્ટી પર કાશ્મીરમાં ગુમ થઇ ગયો હતો તેને પોલીસે શોધી કાઢ્યો છે. પોલીસે કહ્યુ કે, સિપાહીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે ત્યાર બાદ જલ્દી સંયુક્ત પુછપરછ કરવામાં આવશે. જેની ઓળખ જાવેદ અહેમદ વાનીના રુપમાં કરવામાં આવી છે .












Click it and Unblock the Notifications
