ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો, આખી રાત ફ્રીઝરમાં રહ્યા બાદ જીવીત થયો હતો આ વ્યક્તિ
મૃતદેહ હોસ્પિટલના શબગૃહના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ મૃતકના સંબંધીઓને જ્યારે બીજા દિવસે જાણવા મળ્યું કે, આખી રાત શબગૃહના ફ્રીઝરમાં રહીને પણ તે શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે આશ્ચર્ય થયું હતું.
લખનઉ : માર્ગ અકસ્માતમાં ઘાયલ 45 વર્ષીય વ્યક્તિને ડોક્ટર્સે તપાસ બાદ મૃત જાહેર કર્યો હતો. જે બાદ તેનો મૃતદેહ હોસ્પિટલના શબગૃહના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ મૃતકના સંબંધીઓને જ્યારે બીજા દિવસે જાણવા મળ્યું કે, આખી રાત શબગૃહના ફ્રીઝરમાં રહીને પણ તે શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે આશ્ચર્ય થયું હતું. આ ચમત્કારિક ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદની છે.

અકસ્માત બાદ શ્રીકેશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો
આ ચોંકાવનારી ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદની છે. જ્યાં મોટરસાઇકલની ટક્કરથી શ્રીકેશ કુમારને ઇજા થઇ હતી.
શ્રીકેશને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈજવામાં આવ્યો, જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો, ત્યારબાદ શુક્રવારના રોજ તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ઈમરજન્સીમેડિકલ ઓફિસરે તેની તપાસ કરી હતી.
રવિવારના રોજ મીડિયા સાથે વાત કરતા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ રાજેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, તેમને વ્યક્તિમાંજીવનના કોઈ નિશાન મળ્યું નથી અને તેથી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પરિવાર ન આવે ત્યાં સુધી તેને શબઘરમાં રાખવામાં આવ્યો હતો
ડોક્ટરે જણાવ્યું હતું કે, આ બાદ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી અને જ્યારે 6 કલાક બાદ પણ તેના સંબંધીઓ હોસ્પિટલ ન પહોંચ્યા, ત્યારે મૃતકને હોસ્પિટલનાશબના ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હતો.

સવારે જીવીત થયો આ વ્યક્તિ
પોલીસ ટીમ અને તેનો પરિવાર શબપરીક્ષણ માટે કાગળની કાર્યવાહી શરૂ કરવા માટે આવતાની સાથે જ તે જીવતો થયો હતો. ડૉક્ટરે જણાવ્યું કે, શ્રીકુમારની હવેસારવાર ચાલી રહી છે, પરંતુ તેઓ હજૂ પણ કોમામાં છે.
તેમણે કહ્યું કે, આ એક ચમત્કાર સિવાય બીજું કંઈ નથી. જો કે, જીવિત હોવા છતાં ડોક્ટર્સે તેને કેવી રીતે મૃતજાહેર કર્યો તેની તપાસ ચાલી રહી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
