રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડે તેવી જનતાની માંગ છેઃ યુપી કોંગ્રેસ પ્રમુખ અજય રાય
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે અગાઉ કહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીથી જ ચૂંટણી લડશે. આ નિવેદનના થોડા કલાકો બાદ તેમણે કહ્યું કે અમેઠીની જનતાની માંગ છે કે રાહુલ ગાંધી અહીંથી આ ચૂંટણી લડે.
યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય તેમના નિવેદનને યોગ્ય ઠેરવતા દેખાયા અને કહ્યું કે 'રાહુલ ગાંધીએ અમેઠીથી ચૂંટણી લડવી જોઈએ', આ મતવિસ્તારના લોકોની માંગ હતી.

આ પહેલા શુક્રવાર (18 ઓગસ્ટ)ના દિવસે યુપી કોંગ્રેસના નવા અધ્યક્ષ અજય રાયે એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, "રાહુલ ગાંધી ચોક્કસપણે અમેઠીથી 2023ની લોકસભા ચૂંટણી લડશે, અમેઠીના લોકો અહીં છે.
જો કે, કલાકો પછી જ્યારે અજય રાયને ફરીથી એ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમનો જવાબ થોડો અલગ હતો. આ વખતે અજય રાયે કહ્યું, "કોંગ્રેસના કાર્યકરો અને અમેઠીના લોકો માંગ કરી રહ્યા છે કે તેઓ પોતાની ભૂલ સુધારે અને રાહુલ ગાંધીની મોટી જીત સુનિશ્ચિત કરે."
જ્યારે પૂછવામાં આવ્યું કે શું રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવા માગે છે, તો અજય રાયે કહ્યું, "તે લોકો અને કાર્યકરોની માંગ છે." યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે દાવો કર્યો કે અમેઠીના લોકો હવે ચિંતિત છે. તેમણે કહ્યું, "સ્મૃતિ ઈરાનીએ તેમને અને બીજેપીને મત આપવા માટે 13 રૂપિયા પ્રતિ કિલો ખાંડ આપવાનું વચન આપ્યું હતું. હવે તેઓ આશ્ચર્ય પામી રહ્યા છે કે ખાંડ ક્યાં ગઈ."
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી 2019માં અમેઠીમાં ભાજપની સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયા હતા. રાહુલ ગાંધી પરિવારના ગઢ અમેઠીથી 2004થી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તમને જણાવી દઈએ કે અજય રાયે 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અસફળ ચૂંટણી લડી હતી.
પરંતુ તેમના તાજેતરના નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું હતું કે, જો પ્રિયંકા ગાંધી કહે છે કે તેઓ વારાણસીથી ચૂંટણી લડવા માંગે છે, તો દરેક કાર્યકર તેમના માટે પૂરા દિલથી કામ કરશે. અજય રાયને 18 ઓગસ્ટના રોજ કોંગ્રેસના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે દલિત નેતા બ્રિજલાલ ખાબરીની જગ્યા લીધી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
