ખેડૂતો-મજૂરો વિરુદ્ધ ષડયંત્ર કરનારા સરમુખત્યાર લોકોના ઘમંડનો પણ પરાજય થયો છે-સોનિયા ગાંધી
નવી દિલ્હી, 19 નવેમ્બર : દિલ્હીની સરહદો પર એક વર્ષથી વધુ સમયથી ખેડૂતોના આંદોલન વચ્ચે શુક્રવારે પીએમ મોદીએ કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી, 19 નવેમ્બર : દિલ્હીની સરહદો પર એક વર્ષથી વધુ સમયથી ખેડૂતોના આંદોલન વચ્ચે શુક્રવારે પીએમ મોદીએ કેન્દ્ર સરકારના ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ કાયદાનો હેતુ દેશના નાના ખેડૂતોને સશક્ત કરવાનો હતો, પરંતુ કદાચ સરકાર ખેડૂતોને પોતાનો મુદ્દો સમજાવવામાં નિષ્ફળ રહી. પીએમ મોદીના આ નિર્ણય બાદ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે આજે સત્ય, ન્યાય અને અહિંસાની જીત થઈ છે.

ખેડૂતો અને મજૂરો વિરુદ્ધ રચાયેલા કાવતરાની હાર
કૃષિ કાયદાને પાછો ખેંચવાના નિર્ણય પર સોનિયા ગાંધીએ નિવેદન જારી કરીને કહ્યું કે, આજે 700 થી વધુ ખેડૂત પરિવારોના બલિદાનનું વળતર મળ્યું છે, જેમણે ન્યાય માટેના આ સંઘર્ષમાં પોતાનો જીવ આપ્યો. આજે સત્ય, ન્યાય અને અહિંસાની જીત થઈ છે. ખેડૂતો અને મજૂરો વિરુદ્ધ ષડયંત્ર કરનારા સત્તામાં રહેલા સરમુખત્યારશાહી લોકોના ઘમંડનો પણ પરાજય થયો છે.

મોદી સરકારને ભવિષ્ય માટે બોધપાઠ મળશે
પોતાના નિવેદનમાં સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે, જે કાવતરું લોકોની આજીવિકા અને ખેતી પર હુમલો કરવા માગતું હતું તે આજે પરાસ્ત થયું છે. આજે દેશના અન્નદાતાની જીત થઈ છે. લોકશાહીમાં કોઈપણ નિર્ણય વિપક્ષ અને દરેક વ્યક્તિ સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવે છે, જે તે નિર્ણયમાં કોઈને કોઈ રીતે સામેલ હોય છે. મને આશા છે કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ભવિષ્ય માટે આમાંથી કંઈક બોધપાઠ મેળવશે.

જ્યાં સુધી સંસદમાં કાયદા રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે
બીજી તરફ કૃષિ કાયદાને રદ કરવાના નિર્ણય પછી ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે આંદોલન ચાલુ રહેશે. રાકેશ ટિકૈતે કહ્યું કે, હજું ક્યાં કૃષિ કાયદાઓ રદ થયા છે, ક્યાં છે રદ કરવાના કાગળો. અમારું આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સંસદમાં કૃષિ કાયદાને રદ કરવામાં નહીં આવે અને MSPની ગેરંટી સહિત ખેડૂતોના અન્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે. જો કાયદા રદ કરવામાં આવશે તો અમે પણ અમારા ઘરે પાછા જઈશું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
