અફઘાનિસ્તાનને લઈને આઠ દેશોની સમિટને કારણે ઉત્સાહિત છે તાલિબાન, જાણો કોણે શું કહ્યું?
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ભારતમાં અફઘાનિસ્તાન મુદ્દે આઠ દેશોની સમિટમાં ચર્ચા કરવામાં આવી છે.
નવી દિલ્હી : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ભારતમાં અફઘાનિસ્તાન મુદ્દે આઠ દેશોની સમિટમાં ચર્ચા કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બુધવારના રોજ નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન પર પ્રાદેશિક સુરક્ષા સંવાદની અધ્યક્ષતા કરી હતી.
જેમાં અજીત ડોભાલે જણાવ્યું હતું કે, દેશમાં વિકાસ માત્ર અફઘાનિસ્તાનના લોકો માટે જ નહીં, પરંતુ તેના પડોશીઓ અને ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ અસરો ધરાવે છે. આ બેઠકમાં રશિયા અને ઈરાન ઉપરાંત મધ્ય એશિયાના પાંચ દેશો તાજિકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો ભાગ લઈ રહ્યા છે.

સમિટમાં ભારતનો અભિપ્રાય
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે જણાવ્યું હતું કે, અમે આજે અફઘાનિસ્તાન સાથે સંબંધિત બાબતો પર ચર્ચા કરવા માટે બેઠક કરી રહ્યા છીએ.
અમેબધા તે દેશના વિકાસ પર નજર રાખી રહ્યા છીએ. માત્ર અફઘાનિસ્તાનના લોકો માટે જ નહીં, પરંતુ તેના પડોશીઓ માટે અને તે ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ અસરો ધરાવે છે.
તેમજ અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબ્જો મેળવ્યા બાદ આ બેઠક દરમિયાન ક્ષેત્રીય સુરક્ષાને લઈને સૌથી મોટી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
આવા સમયેભારત હંમેશા કહેતું આવ્યું છે કે, તાલિબાનને ખાતરી આપવી જોઈએ કે, અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ અન્ય કોઈ દેશ વિરુદ્ધ થવા દેવામાં આવશે નહીં.
પ્રેસરિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, બેઠકમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પર વિચાર કરવામાં આવ્યો છે અને આ માટે અફઘાનિસ્તાનના લોકોને સમર્થન આપવાનો નિર્ણયલેવામાં આવ્યો છે.

કઝાકિસ્તાને ચિંતા વ્યક્ત કરી
અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કઝાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના અધ્યક્ષ કરીમ માસિમોવે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનનીસામાજિક અને આર્થિક સ્થિતિ કથળી રહી છે અને દેશ માનવીય સંકટનો સામનો કરી રહ્યો છે.
પ્રાદેશિક સુરક્ષા સંવાદમાં સંબોધન કરતા માસિમોવે જણાવ્યું હતું કે,અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાય વધારવાની જરૂર છે. અમે અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ.
અફઘાનિસ્તાનની સામાજિક અને આર્થિકસ્થિતિ કથળી રહી છે અને દેશ માનવતાવાદી કટોકટીનો સામનો કરી રહ્યો છે, તેથી માનવતાવાદી સહાયમાં વધારો કરવો જરૂરી છે. અફઘાનિસ્તાનની સ્થિરતા માટેસમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોની જરૂર છે.

ઈરાને અફઘાનિસ્તાન પર શું કહ્યું?
અફઘાનિસ્તાન ગરીબી અને આતંકવાદ સહિતની ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, તેના પર ભાર મૂકતા ઈરાને નવી દિલ્હીમાં કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતુંકે, કાબુલમાં એક સમાવિષ્ટ સરકાર વર્તમાન કટોકટીનો સામનો કરવાનો ઉકેલ છે.
ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અલી શમખાનીએ જણાવ્યું હતું કે,મૂળભૂત રીતે અફઘાનિસ્તાનમાં આપણી પાસે માત્ર સંકટ છે, સ્થળાંતર અને શરણાર્થીઓની કટોકટી છે અને તેનો ઉકેલ એ છે કે તમામ વંશીય જૂથોની ભાગીદારી સાથેસર્વસમાવેશક સરકારની રચના કરવી.
અમે ખરેખર આશાવાદી છીએ કે, વિચારોના આદાન-પ્રદાન દ્વારા, અમે આ પ્લેટફોર્મ દ્વારા ઉદ્દેશ્યો હાંસલ કરી શકીશું. મને ખૂબગર્વ અને આનંદ છે કે, તેહરાનમાં બેઠકો ચાલુ છે અને અમે કટોકટીનો ઉકેલ લાવવા માટે એકબીજાની સલાહ લેવામાં સક્ષમ છીએ.ઉલ્લેખનીય છે કે, તહેરાને ભારતપહેલા આવી બેઠકનું આયોજન કર્યું છે.

તાજિકિસ્તાને બેઠકમાં શું કહ્યું? અફઘાનિસ્તાન સાથેની સરહદ પરની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તાજિકિસ્તાને જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિ આતંકવાદ, ડ્રગ્સની હેરાફેરી અને
ગુનાઓમાં વધારો થવાની આશંકા વધારી રહી છે. બુધવારના રોજ અફઘાનિસ્તાનમાં દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદમાં તાજિકિસ્તાનની સુરક્ષા પરિષદના સચિવનસરુલ્લો રહમતઝોન મહમુદજોદાએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન સાથે અમારી લાંબી સરહદ છે અને તાજિક-અફઘાન સરહદો પર પરિસ્થિતિ જટિલ છે.
તાજિકિસ્તાન,પાડોશી દેશ તરીકે, અફઘાનિસ્તાનના લોકોને મદદ કરી શકે તેવા તમામ કાર્યક્રમોમાં ભાગ લેવા તૈયાર છે.

બેઠક બાદ તાલિબાને શું આશા ?
આ સાથે અફઘાનિસ્તાનને લઈને ભારતમાં યોજાઈ રહેલી બેઠક અંગે તાલિબાને જણાવ્યું કે, તે ભારત દ્વારા આયોજિત અફઘાનિસ્તાન પર પ્રાદેશિક બેઠકને લઈનેઆશાવાદી છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભારતમાં અફઘાનિસ્તાન પર પ્રાદેશિક બેઠકનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતુંકે ઇસ્લામિક અમીરાત તેના વિશે આશાવાદી છે.
આ સાથે તાલિબાને કહ્યું કે, તે પણ આશાવાદી છે કે ભવિષ્યમાં જ્યારે આ પ્રકારની બેઠકોનું આયોજન કરવામાં આવશેત્યારે તાલિબાનને પણ તેમાં ભાગ લેવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં યોજાનારી બેઠક માટે તાલિબાનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.












Click it and Unblock the Notifications
