લક્ષદીપમાં એક પણ કુતરા નથી, જાણો કેમ?
માલદીવ વિવાદ વચ્ચે લક્ષદ્વિપની ખુબ ચર્ચા થઈ રહી છે. આ ચર્ચા વચ્ચે લક્ષદ્વીપ વિશે ઘણી વાતો સામે આવી રહી છે. આજે આપણે આવી જ એક વાત કરવાના છીએ.
જણાવી દઈએ કે, લક્ષદ્વીપ એક રેબીઝ ફ્રી સ્ટેટ છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કૂતરા જોવા મળતા નથી. આ સિવાય પર્યટકોને કૂતરાઓને લઈ જવાની પણ મંજૂરી નથી.

સરકારે લક્ષદ્વીપમાં પાળેલા અને રખડતા તમામ પ્રકારના કૂતરાઓને લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, લક્ષદ્વીપમાં બિલાડીઓ અને ઉંદરો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. અહીં તમે શેરીઓ અને રિસોર્ટ આસપાસ બિલાડીઓ અને ઉંદરો જોઈ શકો છો.
લક્ષદ્વીપમાં માછલીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. અહીં તમને માછલીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળશે. લક્ષદ્વીપમાં માછલીઓની 600 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. તે ભારતના અન્ય રાજ્યોથી ઘણી રીતે અલગ છે, ખોરાકથી લઈને જીવનશૈલી અને સંસ્કૃતિ સુધી તમામ બાબતો જુદી પડે છે.
36 નાના ટાપુઓથી બનેલા લક્ષદ્વીપની કુલ વસ્તી લગભગ 64000 છે અને તેની 96 ટકા વસ્તી મુસ્લિમ છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે લક્ષદ્વીપમાં પર્યટન અને માછીમારી આવકના મુખ્ય સ્ત્રોત છે.
લક્ષદ્વીપમાં 32 ટાપુઓ છે પરંતુ લોકો અહીં માત્ર દસ ટાપુઓ પર જ રહે છે. જેમાં કાવારત્તી, અગાત્તી, અમિની, કદમત, કિલતન, ચેતલત, બિત્રા, અન્દોહ, કલ્પના અને મિનીકોયનો સમાવેશ થાય છે. અહીં એવા ઘણા ટાપુઓ છે જ્યાં 100 થી ઓછા લોકો રહે છે. કાવરત્તી અહીંની રાજધાની છે.












Click it and Unblock the Notifications
