ગુનાની કોઇ કટ ઓફ ડેટ ના હોઇ શકે: સુપ્રીમ કોર્ટ
મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે જે બળાત્કાર જેવા જઘન્ય અપરાધ કરે છે તેમની સાથે પુખ્ત વયની સમાન સજાનો માપદંડ હોવો જોઇએ. પોલીસ અનુસાર 50 ટકા શારીરિક ગુના 16 વર્ષના કિશોરો જ કરે છે. તેમને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંગે માલૂમ છે માટે એવું કરે છે. મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે તેઓ કાનૂનમાં ફેરફાર લાવશે અને પ્રક્રિયાની જાતે દેખરેખ રાખશે.
દિલ્હી ગેંગરેપ બાદ ક્રિમિનલ જસ્ટિસ એક્ટમાં સંશોધન માટે 2012માં જસ્ટિસ વર્માની અધ્યક્ષતામાં સમિતિ ગઠિત કરવામાં આવી હતી. સમિતિએ પોતાની રિપોર્ટમાં જણાવ્યું હતું કે ઉંમરની અંતિમ સીમા (18 વર્ષ)ને યથાવત રાખવી જોઇએ, કારણ કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટનો ઉદ્દેશ્ય બાળ ગુનેગારમાં સુધાર લાવવાનો છે.
આ પહેલાની યુપીએ સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી કૃષ્ણા તીરથે પણ પ્રસ્તાવ રાખ્યો હતો કે જઘન્ય અપરાધોના દોષી જેમની ઉંમર 16 વર્ષથી વધારે હોય, તેમની સાથે પુખ્ત વયના અપરાધીઓ સમાન સજાનું માપદંડ હોવું જોઇએ.