ભાજપના ઉમેદવાર બગ્ગાનું વિવાદિત નિવેદન, કહ્યું- 11મીએ શાહીન બાગમાં સર્જિકલ સ્ટ્રાઈક થશે
ભાજપના ઉમેદવાર બગ્ગાનું વિવાદિત નિવેદન, કહ્યું- 11મીએ શાહીન બાગમાં સર્જિકલ સ્ટ્રાઈક થશે
નવી દિલ્હીઃ દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની બેફામ નિવેદનબાજી અટકવાનું નામ નથી લઈ રહી. અનુરાગ ઠાકુર, પ્રવેશ વર્મા બાદ હવે હરિનગર વિધાનસભા ચૂંટણી ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર તેજિંદર પાલ સિંહ બગ્ગાએ શાહીન બાગ પ્રોટેસ્ટને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. તજિંદર પાલ સિંહ બગ્ગાએ કહ્યું કે 11 ફેબ્રુઆરીએ ચૂંટણી પરિણામ આવ્યા બાદ સૌથી પહેલા શાહીન બાગમાં સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે.

ગુરુવારે બપોરે ભાજપના નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ એક વીડિયો ટ્વીટ કરતા લખ્યું કે, શાહીન બાગ સમર્થકો દ્વારા કાલે જંતર મંતરથી કહેવામાં આવ્યું કે ભારતીય સેના પોતાના લોકોને મારે છે, ભારતીય સેનાની તુલના પાકિસ્તાની સેના સાથે કરવામાં આવી રહી છે. શાહીન બાગ દેશદ્રોહનો અડ્ડો બની ગયો છે, 11 તારીખે પરિણામ આવતા જ સૌથી પહેલા આ અડડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે.
शाहीन बाग़ समर्थको द्वारा कल जंतर मंतर से कहा गया कि भारतीय सेना अपने लोगो को मारती है, भारतीय सेना की तुलना पाकिस्तानी सेना से की जा रही है। शाहीन बाग़ देशद्रोह का अड्डा बन चुका है , 11 तारीख को नतीजे आते सबसे पहले इन अड्डो पर सर्जिकल स्ट्राइक की जाएगी । pic.twitter.com/Or9d0k9E45
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) January 30, 2020
તેજિંદર પાલ સિંહ બગ્ગાએ જે વીડિયો ટ્વીટ કર્યો છે તેમાં એક શખ્સ કહી રહ્યો છે કે, આપણા પાડોસી દેશ સાથે અમનથી રેહવાની સાથે જે કામ કરો છો તે દેશ ભક્ત છે. કોઈપણ તેમની વિરુદ્ધ કંઈ કહે છે તો પાકિસ્તાન ગણાવે છે. એનો કોઈ મતલબ નથી. પાકિસ્તાન કોઈ દુશ્મન દેશ નથી. અહીંનુ રુલિંગ ક્લાસ અને પાકિસ્તાનનું રૂલિંક ક્લાસ એક જેવું જ છે. ત્યાંની આર્મી અને આપણી આર્મી પણ એક જેવી જ છે. ત્યાંને સેના પણ પોતાના લોકોને મારે છે અને અહીંની સેના પણ પોતાના લોકોને મારે છે. બંનેમાં કંઈ વધુ ફેર નથી.
આ શખ્સ આગળ કહે છે કે તમે પાકિસ્તાનમાં જાવ અને લોકો સાથે વાત કરો તો તે તમારી સાથે એટલા પ્રેમથી વાત કરશે. દરેક વાત પર તેઓ તમને કહેશે કે સમાધાન કેવી રીતે કરી શકાય, કંઈક તમે કરાવી દો. જણાવી દઈએ કે અગાઉ ભાજપના અન્ય એક ઉમેદવાર કપિલ મિશ્રાએ શાહીન બાગને મિની પાકિસ્તાન કહ્યું હતું. જ્યારે ભાજપી સાંસદ રમેશ બિઘૂડી શાહીન બાગને દેશને દેશની અરાજક સોચના લોકોનું કેન્દ્ર ગણાવી વિવાદ ઉભો કરી દીધો હતો.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
