દેશમાં કોરોના વેક્સીનના ત્રીજા ડોઝની સુસ્ત ગતિ ચિંતાજનક, માત્ર 3.8 લાખ લોકોએ મૂકાવી રસી
દેશમાં કોરોના વેક્સીનના ત્રીજા ડોઝની ગતિ ખૂબ જ ધીમી ચાલી રહી છે. જાણો આંકડા..
નવી દિલ્લીઃ દેશમાં લોકોને કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ આપવાનો સિલસિલો શરુ થઈ ચૂક્યો છે. 18-19 વર્ષ વચ્ચેના લોકોને કોરોનાનો ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે અનુસાર અત્યાર સુધી માત્ર 3.8 લાખ લોકોએ જ ત્રીજો ડોઝ લગાવ્યો છે. આમાંથી પણ 51 ટકા લોકોએ છેલ્લા ચાર દિવસમાં ત્રીજો ડોઝ લગાવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં 10 એપ્રિલથી કોરોનાનો ત્રીજો ડોઝ આપવાની શરુઆત કરવામાં આવી હતી.
જે આંકડા સામે આવ્યા છે તે મુજબ અત્યાર સુધી કોરોના વાયરસ વેક્સીનનો ત્રીજો ડોઝ માત્ર 387719 લોકોને લગાવવામાં આવ્યો છે જેમાંથી 20 એપ્રિલથી 24 એપ્રિલ દરમિયાન 1.98 લાખ લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે જે રીતે કોરોનાના નવા કેસ વધી રહ્યા છે તેને જોતા દિલ્લી, યુપી, હરિયાણાએ એક વાર ફરીથી માસ્ક પહેરવુ અનિવાર્ય કરી દીધુ છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ લગભગ 50 ટકા વેક્સીનનો ડોઝ મેટ્રો શહેરના લોકોને લાગ્યો છે.
આરોગ્ય મંત્રાલયના અધિકારીનુ કહેવુ છે કે ત્રીજો ડોઝ મુખ્ય રીતે એ જ લોકો લગાવી રહ્યા છે જે વિદેશ જઈ રહ્યા છે અથવા કોઈ બિમારીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 14 દિવસોમાં કોરોના વાયરસની 54 ટકા વેક્સીન દિલ્લી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં લાગી છે. રાજસ્થાનમાં માત્ર 5500 લોકોને ત્રીજો ડોઝ લાગ્યો છે. મધ્ય પ્રદેશમાં 5290 લોકોને, છત્તીસગઢમાં માત્ર 532 લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ લાગ્યો છે.
ગીચ વસ્તીવાળા રાજ્ય બિહારની વાત કરીએ તો અહીં માત્ર 22141 લોકોને વેક્સીનનો ત્રીજો ડોઝ લાગ્યો છે. વળી, ગુડગાંવમાં 19918 લોકોને ત્રીજો ડોઝ લાગ્યો છે. 60 વર્ષની ઉપરના લોકો માટે ત્રીજો ડોઝ મફત છે અને એની શરુઆત 10 જાન્યુઆરીથી થઈ છે. 1.04 કરોડ આરોગ્યકર્મીઓમાંથી માત્ર 45 ટકાએ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે જ્યારે 1.84 કરોડ ફ્રંટલાઈન વર્કર્સમાંથી 38 ટકાએ જ વેક્સીનનો ત્રીજો ડોઝ લીધો છે.