કેપ્ટનનું આ પગલુ પંજાબમાં કોંગ્રેસનો ખેલ બગાડી નાંખશે!

પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ બાદ કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું, ત્યારથી પંજાબના રાજકીય કોરિડોરમાં તમામની નજર કેપ્ટન અમરિંદર સિંહના આગામી પગલા પર છે.

ચંદીગઢ, 20 ઓક્ટોબર : પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઉથલપાથલ બાદ કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપ્યું હતું, ત્યારથી પંજાબના રાજકીય કોરિડોરમાં તમામની નજર કેપ્ટન અમરિંદર સિંહના આગામી પગલા પર છે. રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે હવે ભવિષ્યની રાજનીતિ માટે સમીકરણ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. પંજાબમાં ચર્ચાઓનું બજાર ગરમ છે કે કેપ્ટન અમરિંદર સિંહે પોતાનો રાજકીય પક્ષ બનાવવાની તૈયારી કરી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પોતાની પાર્ટી બનાવી શકે છે અને ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. તાજેતરમાં જ એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કોમી અને મુસ્લિમ વિરોધી નથી.

કેપ્ટનની રણનીતિ

કેપ્ટનની રણનીતિ

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના આ નિવેદને પંજાબમાં રાજકીય તાપમાન વધાર્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે કેપ્ટન અમરિંદર સિંહ પોતાની પાર્ટી બનાવી શકે છે અને ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે. કેપ્ટન ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂતો આંદોલનનો ઉકેલ લાવીને માસ્ટરસ્ટ્રોક રમવા માંગે છે. ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પર પાર્ટી દ્વારા તેમનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તેઓ દિલ્હી પ્રવાસે ગયા અને અમિત શાહને પણ મળ્યા. કેપ્ટનની આ બેઠકમાંથી ઘણા અર્થ કાઢવામાં આવ્યા હતા અને એવી પણ ચર્ચા થઈ હતી કે કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ કેપ્ટને ભાજપમાં જોડાવાની હકીકતને નકારી હતી. તે જ સમયે તેમણે કહ્યું હતું કે તેઓ હવે કોંગ્રેસમાં રહેશે નહીં.

રાજકીય દાવ રમવાની તૈયારી

રાજકીય દાવ રમવાની તૈયારી

રાજીનામું આપ્યાના એક મહિના બાદ કેપ્ટન અમરિંદર સિંહ સક્રિય રીતે ભાજપની પ્રશંસા કરી રહ્યા છે. આનો અર્થ એ થઈ રહ્યો છે કે કેપ્ટન ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં પરંતુ પોતાની પાર્ટી બનાવીને ભાજપ સાથે જોડાણ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેપ્ટન ખેડૂત આંદોલનનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી તે પંજાબના રાજકારણમાં નવો ઇતિહાસ લખી શકે. ધરણા પર બેઠેલા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે કેપ્ટનના સારા સંબંધો રહ્યાં છે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી હતા તે દરમિયાન તેમણે દિલ્હીમાં ધરણા પર બેઠેલા ખેડૂત સંગઠનોને ઘણી મદદ કરી હતી. કેપ્ટન હવે પોતાની રાજકીય ઈનિંગ રમવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે પંજાબ કોંગ્રેસની ઉંઘ ઉડી છે.

કોંગ્રેસમાં ફુટ પડી શકે છે

કોંગ્રેસમાં ફુટ પડી શકે છે

રાજકીય કોરિડોરમાં ચર્ચા છે કે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબ કોંગ્રેસના ધારાસભ્યોને તેમની પાર્ટીમાં સામેલ કરી શકે છે, લગભગ બે ડઝન ધારાસભ્યો કેપ્ટન અમરિંદર સિંહના સંપર્કમાં છે. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કૃષિ અધિનિયમને કારણે પંજાબમાં આ વાતાવરણ સર્જાયું હતું, આ પહેલા પંજાબમાં ભાજપ સામે કોઈ મુશ્કેલી નહોતી. પીએમ મોદી કૃષિ કાયદાઓનો ઉકેલ શોધવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ, કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે મને આશા છે કે ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાઓનો ઉકેલ વિધાનસભાની ચૂંટણી પહેલા મળી જશે. સાથે જ તેમણે કહ્યું કે પંજાબમાં હિન્દુ, શીખ અને મુસ્લિમ વચ્ચે ક્યારેય કોઈ સમસ્યા નથી.

કોંગ્રેસ માટે પડકાર

કોંગ્રેસ માટે પડકાર

કેપ્ટનનો નવો રાજકીય પક્ષ પંજાબ કોંગ્રેસ માટે મોટો પડકાર બની શકે છે. કારણ કે કેપ્ટને વરિષ્ઠ નેતાઓને આવકારવાનો સંકેત આપ્યો છે, જે પોતાનો જુનો પક્ષ છોડી દીધો ચુક્યા છે. આ સિવાય કેપ્ટને કોંગ્રેસ સિવાય ભાજપ સહિત તમામ પક્ષો માટે મતદાન પૂર્વે અને ચૂંટણી પછીના જોડાણના ખુલ્લા વિકલ્પનો પણ સંકેત આપ્યો છે. જે રીતે પંજાબ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ છે તે સ્પષ્ટ છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ પાર્ટીમાં ફુટ પડી શકે છે. કોંગ્રેસના ઘણા નેતાઓ પાર્ટી છોડીને કેપ્ટનની પાર્ટીમાં જોડાઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X