Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ રહસ્યમયી મંદિરમાં જનારા ક્યારેય પાછા નથી આવતા, ક્યાં આવેલુ છે આ નર્કના દરવાજા તરીકે જાણીતું મંદીર?

આ દુનિયામાં ઘણી એવી રહસ્યમયી જગ્યાઓ આવેલી છે જેના વિશે અજીબ માન્યતાઓ પ્રવર્તે છે. આવી જ એક માન્યતા તુર્કીના એક મંદિર સાથે જોડાયેલી છે.

અહેવાલો અનુસાર, કેટલાક વર્ષો પહેલા તુર્કીમાં મકબરાની નજીક એક મંદિર જોવા મળ્યું હતું. આ મંદિર દુનિયાભરના પુરાતત્વવિદોને આશ્ચર્યચકિત કરી રહ્યું છે.

Gate to Hell Turkey

આજે અમે તમને તુર્કીના સૌથી વધુ દિવાલવાળા શહેર હિરાપોલિસ મંદિરના એક રહસ્યમય મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેને ગેટ ટુ હેલ ટર્કી કહેવામાં આવે છે.

આ મંદિર બહાર એક દરવાજો છે. સ્થાનિક લોકો અનુસાર, જો કોઈ વ્યક્તિ તેની નજીક પણ જાય તો તે ક્ષણભરમાં મૃત્યુ પામે છે. અહીં અનેક પ્રાણીઓના પણ મોત થયા છે.

માન્યતા છે કે, ગ્રીકો-રોમન સમયગાળા દરમિયાન આ મંદિરમાં એક વ્યક્તિ રહેતો હતો, જેની પાછળથી હત્યા કરવામાં આવી. દાવો છે કે આ જ લોકોની હત્યા કરી દે છે.

દંતકથાઓ અનુસાર. આ મંદિરમાં ગ્રીક દેવતાઓ રહે છે. જ્યારે પણ કોઈ મનુષ્ય કે પ્રાણી અહીં પ્રવેશે ત્યારે તે શ્વાસ છોડે છે અને દરવાજા પાસે હાજર વ્યક્તિનું મૃત્યુ થાય છે.

એવું પણ કહેવાય છે કે અહીં ઘણા ઝરણા છે, જો તેમાં સ્નાન કરવામાં આવે તો ઘણી બીમારીઓમાંથી મુક્તિ મળે છે.

જો તે વૈજ્ઞાનિકો આ બાબતે અલગ મત ધરાવે છે. 7 વર્ષ પહેલા થયેલા એક સંશોધન મુજબ હેરાપોલિસ મંદિરની બહાર એક પથ્થરનો દરવાજો છે જે એક નાની ગુફાની અંદર જાય છે. આ દરવાજો લંબચોરસ જગ્યા પર બાંધવામાં આવ્યો છે.

ઈતિહાસકારો કહે છે કે આ ગુફાની ટોચ પર એક મંદિર હતું. અહીં ચારે બાજુ પથ્થરો છે, જ્યાં લોકો આવતા હતા અને સમય પસાર કરતા હતા.

માનવામાં આવે છે કે, અંદાજે 2200 વર્ષ પહેલા અહીંના ગરમ ઝરણામાં ચમત્કારિક શક્તિઓ હતી, જે લોકોના રોગોને દૂર કરતી હતી. આ કારણથી અહીં મોટી સંખ્યામાં લોકો ઝરણામાં સ્નાન કરવા આવતા. પરંતુ 100 વર્ષ પછી દરવાજા પાસે આવેલા ઝરણામાં ઘણા ફેરફાર થયા.

આ પછી હેરાપોલિસ મંદિર નીચે એક ઊંડી તિરાડ ખુલી, જેના કારણે જ્વાળામુખીમાંથી કાર્બન ડાયોક્સાઈડનું ઉત્સર્જન થવા લાગ્યું. ગેસ એટલી મોટી માત્રામાં બહાર આવવા લાગ્યો કે તે ધુમ્મસ જેવો લાગતો હતો.

નરકનો દરવાજો કહેવાતો આ દરવાજો આ જગ્યાની બરાબર ઉપર બાંધવામાં આવ્યો છે, જે ગ્રીક દેવતા પ્લુટોનું સ્થાન કહેવાય છે. વૈજ્ઞાનિકોના મતે વર્ષો પછી પણ આ ગેસ એટલો ઘાતક છે કે તેની નજીક ઉડતા કોઈપણ પક્ષીનો ગૂંગળામણ થઈ જાય છે અને તરત જ મૃત્યુ પામે છે. જો કોઈ વ્યક્તિ આ જગ્યાએ જાય તો પણ તેનું મૃત્યુ થઈ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X