Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બિહારની રાજનીતિમાં ઉથલપાથલના એંઘાણ, તુટી શકે છે મહાગઠબંધન

આરજેડી ધારાસભ્ય સુધાકર સિંહ સતત નીતીશ કુમાર મુદ્દે નિવેદનો આપી રહ્યા છે તો બીજી તરફ પાર્ટી તરફથી કોઈ કાર્યવાહી કરાઈ રહી નથી. હવે આ મુદ્દે ઉપેન્દ્ર કુશવાહાએ નિવેદન આપી પ્રહારો કર્યા છે.

પટના : બિહારમાંની રાજનીતિમાં ઉથલપાથલ થવા જઈ રહી હોવાના એંધાણ મળી રહ્યા છે. હાલમાં કેટલાક ઘટનાક્રમ આ તરફ ઈશારા કરી રહ્યા છે. આરજેડીના ધારાસભ્ય સુધાકર સિંહના નીતીશ કુમાર મુદ્દે આવી રહેલા વિવાદાસ્પદ નિવેદનોએ વિવાદ ઉભો કર્યો છે. સામે આવી રહેલી વિગતો પર વિશ્વાસ કરીએ તો જેડીયુ સંસદિય બોર્ડ સુધાકર સિંહ પર કોઈ કાર્યવાહી ન કરવાને કારણે આરજેડીથી નારાજ છે. આ વિવાદ વધે તો મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે.

nitish kumar

એક તરફ આરજેડી ધારાસભ્ય સુધાકર સિંહ સતત નીતીશ કુમાર મુદ્દે નિવેદનો આપી રહ્યા છે તો બીજી તરફ પાર્ટી તરફથી કોઈ કાર્યવાહી કરાઈ રહી નથી. હવે આ મુદ્દે ઉપેન્દ્ર કુશવાહાએ નિવેદન આપી પ્રહારો કર્યા છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન સુધાકર સિંહે કહ્યું કે, રાજનીતિક ક્ષેત્રમાં કે બિનરાજકીય ક્ષેત્રમાં, નીતિશ કુમાર માટે, ગઠબંધન માટે, રાજકીય પક્ષ માટે કે અન્ય કોઈ માટે પણ આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને મંજૂરી આપી શકાય નહીં.
અહીં તેમણે કહ્યું કે, માત્ર મહાગઠબંધન માટે જ નહીં, આવનારી પેઢી શ્રાપ આપશે કે રાજકારણમાં એવા કેવા લોકો હતા જેમણે આ નિવેદન આપ્યું, તે પણ બિહારની જનતાના આશીર્વાદ ધરાવતા લોકો માટે. જેમને બિહારની જનતાએ સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાની તક આપી છે.

ગઠબંધન તુડવા મુદ્દે પુછવામાં આવતા સુધાકર સિંહે કહ્યું કે, તિરાડ આવશે કે નહીં તેની ચિંતા કરીને આવી વસ્તુઓ પર પ્રતિક્રિયા આપવી તે અંતરાત્માને દબાવ્યો કહેવાય. મને ખબર નથી કે આનું શું પરિણામ આવશે. ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે મને સુધાકર સિંહના નિવેદનથી દુખ થયું છે, પરંતુ તેના કરતાં પણ મારું મન ત્યારે દુઃખી થયું જ્યારે RJD તરફથી તેમના બચાવમાં એક સત્તાવાર નિવેદન આવ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની અંગત બાબત અને અંગત અભિપ્રાય છે. આ વધુ દુઃખદ છે.

અહીં સુધાકર સિંહે મોટો આરોપ લગાવવા એ પણ કહ્યું કે, જે રીતે સુધાકર સિંહ નીતીશ કુમાર વિશે બોલી રહ્યા છે ત્યારે એવુ તો નતી કે આ તેમના પિતા જગદાનંદ સિંહનો અભિપ્રાય છે. આના પર ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે કોનો અભિપ્રાય છે અને કોનો નથી તે અંગે કોઈ માહિતી નથી, પરંતુ જ્યાં સુધી મારી પોતાની સમજની વાત છે સુધાકર સિંહ જે કંઈ પણ કહી રહ્યા છે અને પક્ષ તરફથી જે રક્ષણાત્મક પ્રતિક્રિયા આવી રહી છે તેના પરથી લાગે છે કે બંનેની સ્ક્રિપ્ટ એક જગ્યાએથી લખાઈ છે.

આગળ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે, તેજસ્વી યાદવ આરજેડીના સૌથી મોટા નેતા છે. લાલુ યાદવ બીમાર છે. તેજસ્વીને બોલવાનો અધિકાર છે, તેથી અમે તેમને જોવા કહ્યું. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે. પાર્ટીએ આ અંગે સંજ્ઞાન લેવું જોઈએ. નીતિશ કુમાર મારા મોટા ભાઈ જેવા છે. તેમના વિશે કોઈ ટિપ્પણી કરે તે હું સહન કરી શકતો નથી. સુધાકર સિંહે જે પણ કહ્યું છે તે અપશબ્દો છે. આ અંગે તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X