અયોધ્યામાં રામ મંદિરની 2000 ફૂટ નીચે નાખવામાં આવશે 'ટાઈમ કેપ્સૂલ', જાણો કારણ
રામ મંદિર નિર્માણની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ દરમિયાન રામ મંદિર નિર્માણ વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે.
5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિર માટે ભૂમિ પૂજન થવાનુ છે. અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તે મુજબ પીએમ મોદી મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ મૂકશે. આના માટે તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ દરમિયાન રામ મંદિર નિર્માણ વિશે એક મોટા સમાચાર આવી રહ્યા છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય રામેશ્વર ચોપાલે કહ્યુ છે કે રામજન્મભૂમિના ઈતિહાસને સિદ્ધ કરવા માટે જેટલી લાંબી લડાઈ કોર્ટમાં લડવી પડી છે તેનાથી આ વાત સામે આવી છે કે હવે જે મંદિર બનાવીશુ તેમાં એક ટાઈમ કેપ્સૂલ બનાવીને 2000 ફૂટ નીચે નાખવામાં આવશે.
આવુ એટલા માટે કારણકે ભવિષ્યમાં જ્યારે કોઈ પણ ઈતિહાસ જોવા ઈચ્છે તો રામજન્મભૂમિના સંઘર્ષના ઈતિહાસ સાથે તથ્ય પણ બહાર આવે જેથી કોઈ પણ વિવાદ અહીં ઉભો થઈ શકે નહિ. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી દ્વારા રામ મંદિરની આધારશિલા રાખ્યા બાદથી મંદિર નિર્માણનુ કામ શરૂ થઈ જશે. એલએન્ડટી કંપની પાયાનુ ખોદકામ શરૂ કરશે. 200 મીટરનુ ખોદકામ બાદ મળેલી માટીના સેમ્પલનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.
રિપોર્ટ મુજબ જ પાયાનુ ઉંડાણ નક્કી થશે. મંદિરનુ પ્લેટફોર્મ કેટલુ ઉંચુ હરશે તે મંદિરનુ ટ્રસ્ટ નક્કી કરશે. મંદિરના પાયાનુ પ્લેટફોર્મ તૈયાર કરવામાં એલએન્ડટી કંપનીને 3 મહિનાનો સમય લાગી શકે છે. મંદિરના ચીફ આર્કિટેક્ટ નિખિલ સોમપુરાના જણાવ્યા મુજબ પીએમ મોદીના કાર્યક્રમ બાદ મંદિરના પાયાનુ ખોદકામ કરવા માટે એલએન્ડટીના મોટા મોટા મશીનો લાગી જશે. મંદિરનુ નિર્માણ કાર્ય પૂરુ કરવામાં લગભગ સાડા ત્રણ વર્ષ લાગી શકે છે.
A time capsule will be placed about 2000 ft down in ground at Ram Temple construction site. So, that in future anyone who wishes to study about history of the temple, he'll only get facts related to Ram Janmabhoomi: Kameshwar Chaupal, Member, Ram Janmabhoomi Teerth Kshetra Trust pic.twitter.com/4qZRnmCA0K
— ANI (@ANI) July 26, 2020
પીએમ મોદીએ 12માંના ટૉપર ઉસ્માનને કર્યો ફોન, છાત્રએ ગણાવ્યા દુનિયાના સૌથી સારા PM