TimesNow CNX સર્વેઃ યુપીમાં જો મહાગઠબંધન થયુ તો NDAને થઈ શકે છે 42 સીટોનું નુકશાન
અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ અને સીએનએક્સના આ નવા સર્વેમાં એનડીએને ઉત્તરપ્રદેશમાં મોટા નુકશાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
2019 ની લોકસભા ચૂંટણી માટે રાજકીય ઘમાસાણ ઉગ્ર બની રહી છે. આ સાથે સત્તાધારી ભાજપના નેતૃત્વવાળી એનડીએ હોય કે પછી વિપક્ષી દળો, બધા પોતાની રણનીતિક તૈયારીઓ કરવામાં લાગી ગયા છે. તેમની આ તૈયારીઓ વચ્ચે એક સર્વે સામે આવ્યો છે જે ભાજપના નેતૃત્વવાળા એનડીએના ગઠબંધનને પરેશાન કરી શકે છે. અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ અને સીએનએક્સના આ નવા સર્વેમાં એનડીએને ઉત્તરપ્રદેશમાં મોટા નુકશાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સર્વે મુજબ જો ઉત્તર પ્રદેશમાં મુખ્ય વિપક્ષી દળો સમાજવાદી પાર્ટી, બસપા અને કોંગ્રેસ વચ્ચે મહાગઠબંધન થશે તો એનડીએને ઘણુ નુકશાન થઈ શકે છે.

જો મહાગઠબંધન ન થયુ તો ભાજપને 16 સીટોનું નુકશાન
અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ અને CNX એ ઓપિનિયન પોલ દ્વારા દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની જનતાના વિચારો જાણવાની કોશિશ કરી. સર્વેમાં જે મુખ્ય વાત સામે આવી છે તે મુજબ યુપીની 80 લોકસભા સીટ પર જો આજે ચૂંટણી કરાવવામાં આવે અને બધી મુખ્ય પાર્ટીઓ એકલા ચૂંટણી મેદાનમાં ઉતરે તો ભાજપને લગભગ 16 સીટોનું નુકશાન થઈ શકે છે. એટલે કે સપા, બસપા, કોંગ્રેસ વચ્ચે જો મહાગઠબંધન ન બને તો ભાજપને લગભગ 16 સીટોનું નુકશાન થઈ શકે છે.

સપા-બસપા સાથે આવતા એનડીએને 31 સીટોનું અનુમાન
સર્વે મુજબ જો યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, માયાવતીની બસપા અને કોંગ્રેસ વચ્ચે મહાગઠબંધન થઈ જાય તો ભાજપના નેતૃત્વવાળા એનડીએને 42 સીટોના નુકશાનનું અનુમાન છે. આવી સ્થિતિમાં એનડીએને રાજ્યની 80 લોકસભા સીટોમાંથી 31 સીટો જ મળવાની સંભાવના સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે. કુલ મળીને યુપીમાં મહાગઠબંધનની સ્થિતિમાં ભાજપને મોટુ નુકશાન ઉઠાવવુ પડી શકે છે.

સર્વેમાં મોદી પ્રિય પ્રધાનમંત્રી
સર્વેમાં પ્રિય પ્રધાનમંત્રીના મુદ્દે પૂછાયેલા સવાલમાં નરેન્દ્ર મોદીએ જ બાજી મારી છે. સૌથી વધુ લોકોએ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે પસંદ કર્યા છે. જો કે યુપીમાં પીએમ મોદીની લોકપ્રિયતામાં પહેલાની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. સર્વેમાં પીએમ મોદીને લગભગ 42 ટકા મત મળ્યા છે. બીજા નંબરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રહ્યા, 20 ટકા મતદારો તેમને આગામી પીએમ તરીકે જોવા ઈચ્છે છે. બસપા સુપ્રીમો માયાવતી અને પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીને 11 ટકા મત મળ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં 16 ટકા મતદારો ઈચ્છે છે કે કોઈ નવો ચહેરો પ્રધાનમંત્રી બને.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
