Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tirupati Stampede : તિરૂપતિ મંદિર નાસભાગને લઈને ચંદ્રાબાબુ નાયડુ એક્શનમાં, જાણો શું કહ્યું?

Tirupati Stampede : આંધ્રપ્રદેશના જગ વિખ્યાત તિરૂપતિ મંદિરમાં નાસભાગ થતા 65 લોકોના જીવ ગયા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

આ ઘટના બાદ આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકાર એક્શનમાં આવી છે. સીએમ નાયડુએ કહ્યું કે જવાબદારોને માફ કરી શકાય નહીં.

Tirupati Stampede

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ટિકિટ વિતરણ કેન્દ્રો પર થયેલી નાસભાગ પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે અધિકારીઓ અને નેતાઓ સાથે બૈરાગીપટ્ટી ખાતે જ્યાં ભાગદોડ થઈ હતી તે વિસ્તારનું નિરીક્ષણ પણ કર્યું.

મુખ્યમંત્રી નાયડુએ તિરુપતિ જિલ્લા કલેક્ટર, એસપી અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના જેઈઓ ગૌતમી સમક્ષ પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ભાગદોડમાં છ શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા અને ડઝનબંધ અન્ય લોકો ઘાયલ થયા, આ એક અક્ષમ્ય ભૂલ હતી. પ્રક્રિયા મુજબ કામ હાથ ધરવા આદેશો જારી કરવામાં આવ્યા હતા.

અધિકારીઓને પૂછવામાં આવ્યું છે કે જ્યારે તે ફક્ત 2,000 લોકોને સમાવી શકે તેમ હતા ત્યારે 2,500 લોકોને કેવી રીતે મંજૂરી આપી?

તેમણે પૂછ્યું કે, ટિકિટ વિતરણ કેન્દ્રો પર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ દ્વારા કઈ સાવચેતી રાખવામાં આવી? ટિકિટ વિતરણ કેન્દ્રો પર નાસભાગ અટકાવવા માટે તેમણે અગાઉ કયા પગલાં લીધાં?

તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આટલા બધા અધિકારીઓ હોવા છતાં ટિકિટ વિતરણ પ્રક્રિયા યોગ્ય રીતે કેમ ન થઈ શકી? તેમણે પૂછ્યું કે કેટલી ટિકિટ ઓફલાઇન જારી કરવામાં આવી અને કેટલી ઓનલાઇન? ભાગદોડ પછી અધિકારીઓ પર ઘણા સવાલ ઉઠ્યા છે.

આમાં એમ્બ્યુલન્સ કયા સમયે ઘટનાસ્થળે પહોંચી તે પણ સામેલ છે. તેમણે એ વાત પર ઊંડો ગુસ્સો વ્યક્ત કર્યો કે જ્યારે ટિકિટ માટે ભક્તોની ભીડ વધી રહી હતી ત્યારે અધિકારીઓ શું કરી રહ્યા હતા?

અહીં ચંદ્રાબાબુ નાયડુએ અધિકારીઓને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કડક પગલાં લેવા સલાહ પણ આપી. જેમણે જવાબદારી લીધી છે તેમણે તેને યોગ્ય રીતે નિભાવવા પણ આદેશ કરાયા છે. સીએમ નારાજ હતા કે ભક્તોને મર્યાદાથી આગળ કેમ જવા દેવામાં આવે છે? અધિકારીઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભક્તોને બહાર જવા દેતી વખતે સાવધાની રાખવી જોઈએ.

ઘટનાસ્થળના નિરીક્ષણ દરમિયાન મુખ્યમંત્રીએ TTDના સંયુક્ત કાર્યકારી અધિકારી (આરોગ્ય અને શિક્ષણ) એમ ગૌતમી પાસેથી ઘટના અંગે જવાબ માંગ્યો. આ બાદ તેમણે શ્રી વેંકટેશ્વર રામનારાયણ રુઇયા સરકારી હોસ્પિટલ અને શ્રી વેંકટેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SVIMS) હોસ્પિટલમાં ઘાયલ ભક્તોની મુલાકાત કરી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X