છેડો ફાડતા જ મોદીએ કર્યા નીતિશ પર પ્રહાર, 18 જૂને બિહાર બંધ

છેલ્લા 17 વર્ષોનો સંબંધ તૂટવાની જાહેરાત થયાની સાથે જ બીજેપી નેતા સુશીલ કુમાર મોદીએ નીતિશ કુમાર પર પ્રહારો કરવાનું ચાલું કરી દીધું હતું. મોદીએ પત્રકારોને જણાવ્યું કે 'આજનો દિવસ બિહારની રાજનીતિમાં કાળા દિવસ તરીકે લખવામાં આવશે. જેમાં જેડીયૂના નેતાઓએ વિશ્વાસઘાત કરવાનું કાર્ય કર્યું છે.'
સુશીલ કુમાર મોદીએ નીતિશ કુમારને ઘણી ખરીખોટી સંભળાવી તેમણે કહ્યું કે અમને એમ હતું કે જો તેમને ગઠબંધન તોડવું હોત તો તેમણે વ્યવસ્થિત રીતે તોડશે. પહેલા તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે જે તેમણે એનડીએ સરકારમાં મેળવ્યું હતું. પરંતુ તેમણે એવું ના કર્યું અને ગઠબંધન તોડવાની વાત કરી દીધી. બિહારની જનતા તેમના દરેક નાટકો જોતી આવી છે અને લોકસભામાં બિહારની જનતા તેમને યોગ્ય જવાબ આપશે.
સુશીલ મોદીએ નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું કે મોદીએ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષોમાં કેટલો સરસ વિકાસ કર્યો છે. છેલ્લા દસ વર્ષોમાં ત્યાં કોઇ રમખાણ કે કોઇ છમકલું પણ થયું નથી. એક ઓબીસીમાંથી આવતો છોકરો જેના પિતા ચ્હાની કિટલી ધરાવતા હતા તે પ્રધાનમંત્રીની રેસમાં છે એ વાત તેમને હજમ નથી થઇ રહી માટે તેમણે આ વિશ્વાસઘાતી પગલું ભર્યું છે.
તેમણે જેડીયૂના નેતાઓએ વિશ્વાસઘાત કરવાનું કાર્ય કર્યું છે. નીતિશ કુમારે વિશ્વાસઘાત કર્યો છે. અમારુ પૂરેપૂરુ ધ્યાન હવે લોકસભા ચૂંટણી તરફ રહેશે. આ મુદ્દાને પગલે અમે 18 જૂન નારોજ બિહાર બંધનું એલાન કરીએ છીએ.












Click it and Unblock the Notifications
