Train Accident : મહારાષ્ટ્રના જલગાવ પાસે ભયાનક ટ્રેન અકસ્માત, 11 લોકોના મોત
Train Accident : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં રેલવેને કોઈ ગ્રહણ લાગ્યુ હોય તેવી સ્થિતી છે. એક મોટો રેલ અકસ્માત ભુલાય નહીં ત્યાં બીજી દુર્ઘટના સર્જાય છે.
હવે વધુ એક ભયાનક ટ્રેન દુર્ઘટનાના સમાચાર મહારાષ્ટ્રના જલગાવથી આવ્યા છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

સમાચારો અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવના પચોરા રેલ્વે સ્ટેશન પર કર્ણાટક એક્સપ્રેસની ટક્કરથી 8 લોકોના મોત થયા છે. આ પ્રાથમિક આંકડો છે અને હજુ વધી શકે છે. આઓ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
અહેવાલો અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે પુષ્પક એક્સપ્રેસના મુસાફરોમાં અચાનક ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાઈ, આ અફવા બાદ મુસાફરો પોતાનો જીવ બચાવવા પાટા પર ઉતરી ગયા હતા. આ દરમિયાન આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસની ઝમેટમાં આપવાથી 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.
અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી માટે શરૂ કરાઈ છે અને જલગાંવના પાચોરા શહેરમાં પરાંડા રેલ્વે સ્ટેશન પાસે રેલ્વેના મોટા અધિકારીઓ પહોંચ્યા છે.
પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ચાલતી પુષ્પક એક્સપ્રેસ પરથી પાટા પર કૂદવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
