Train Accident : મહારાષ્ટ્રના જલગાવ પાસે ભયાનક ટ્રેન અકસ્માત, 11 લોકોના મોત
Train Accident : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં રેલવેને કોઈ ગ્રહણ લાગ્યુ હોય તેવી સ્થિતી છે. એક મોટો રેલ અકસ્માત ભુલાય નહીં ત્યાં બીજી દુર્ઘટના સર્જાય છે.
હવે વધુ એક ભયાનક ટ્રેન દુર્ઘટનાના સમાચાર મહારાષ્ટ્રના જલગાવથી આવ્યા છે. આ ઘટનામાં 11 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

સમાચારો અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવના પચોરા રેલ્વે સ્ટેશન પર કર્ણાટક એક્સપ્રેસની ટક્કરથી 8 લોકોના મોત થયા છે. આ પ્રાથમિક આંકડો છે અને હજુ વધી શકે છે. આઓ ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
અહેવાલો અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે પુષ્પક એક્સપ્રેસના મુસાફરોમાં અચાનક ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાઈ, આ અફવા બાદ મુસાફરો પોતાનો જીવ બચાવવા પાટા પર ઉતરી ગયા હતા. આ દરમિયાન આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસની ઝમેટમાં આપવાથી 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા.
અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી માટે શરૂ કરાઈ છે અને જલગાંવના પાચોરા શહેરમાં પરાંડા રેલ્વે સ્ટેશન પાસે રેલ્વેના મોટા અધિકારીઓ પહોંચ્યા છે.
પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ચાલતી પુષ્પક એક્સપ્રેસ પરથી પાટા પર કૂદવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે.












Click it and Unblock the Notifications
