Cyclone Nisarga: મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ બદલાયુ, ફ્લાઈટો પણ રદ
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક સ્વરૂપ લઈ લીધુ છે અને તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે
ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે વાવાઝોડા 'નિસર્ગે' ભયાનક સ્વરૂપ લઈ લીધુ છે અને તે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યુ છે અને તે આજે ત્રણ વાગ્યા આસપાસ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટો પાસેથી પસાર થશે જેની અસર મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી પર સૌથી પહેલા અને સૌથી વધુ હશે એટલા માટે આગલા 24 કલાક આ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ખૂબ જ મહત્વના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસર નિસર્ગ વાવાઝોડુ લગભગ 110 કિમી પ્રતિ કલાકની ઝડપે તટીય ક્ષેત્રો સાથે ટકરાવાનુ છે કે જે ઘણુ ભયાનક પણ હોઈ શકે છે. હાલમાં નિસર્ગ અલીબાગથી 155 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને મુંબઈથી 200 કિમી દક્ષિણ-પશ્ચિમમાં છે.

બદલાયુ મુંબઈથી આવતી-જતી ટ્રેનોનુ શિડ્યુલ
તોફાનથી નિપટવા માટે પ્રશાસન સંપૂર્ણપણે તૈયાર છે. વળી, મુંબઈ ટર્મિનલથી રવાના થતી 5 ટ્રેનોને ફરીથી શિડ્યુલ કરવામાં આવી છે જ્યારે એક ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે. વળી, ઈન્ડિગો એરલાઈન્સે ત્રણ ફ્લાઈટને છોડીને આજે મુંબઈથી પોતાની આવતી-જતી 17 ફ્લાઈટ રદ કરી દીધી છે.
|
કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કરી આ અપીલ
વળી, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને આજે લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી છે. સાથે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને સાઉથ ગુજરાતના તટીય વિસ્તારોમાં માછીમારોને પણ સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે તોફાનના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવામાં રેડ એલર્ટ જારી છે. ચક્રવાતી તોફાન નિસર્ગની અસર દેખાવી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના ઉત્તરી રત્નાગિરી વિસ્તારમાં અત્યારે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે.
|
સ્કાઈમેટે પણ આપી ચેતવણી
જ્યારે સ્કાઈમેટના જણાવ્યા મુજબ વાવાઝોડુ નિસર્ગ આજે બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે દક્ષિણ મુંબઈ અલીબાગના તટે ટકરાશે અને આ દરમિયાન 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ત્યારબાદ જે સ્થળે આનુ લેંડફૉલ થશે ત્યાં પવનની ઝડપ અમુક સમય માટે 100 કિલોમીટર કે તેનાથી પણ વધુ થઈ શકે છે કે જે ઘણી ભયાનક હશે. આ સાથે જ સ્કાઈમેટે વધુ એક ખાસ વાત કહી છે કે અને તે એ કે આ તોફાનની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પણ થશે જેના કારણે 3 જૂનથી 5 જૂન વચ્ચે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં જોરદાર વરસાદ થવાની સંભાવના છે. માટે અહીં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે.

4 જૂન સુધી સ્થિતિ અત્યંત ખરાબ થઈ શકે છે
આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી છે કે સમુદ્રમાં 4 જૂન સુધી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. આ દરમિયાન 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ વધીને 110 કિલોમીટર પણ થઈ શકે છે. આ વાવાઝોડાની અસર મુંબઈ પર સૌથી વધુ થવાની છે અને આના કારણે મુંબઈ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમમાં પૂરતા કર્મચારીઓની સંખ્યાને તૈનાત કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
