G20 ની અધ્યક્ષતા પર સર્વદલીય બેઠકમાં કેસીઆર નહી રહે હાજર, મમતા બેનરજી સહિતના નેતાઓ રહેશે હાજર
ભારત 1 ડિસેમ્બર 2022 એક વર્ષ માટે G20 ની અધ્યક્ષતા કરી રહ્યુ છે. આ દરમિયાન વિવિધ રાજકીય પાર્ટીના અધ્યક્ષ સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવામાં આવેલ સર્વદળીય બેઠકમાં ભાગે લેશે. G20 ને લઇને ચર્ચા કરવામાં આવશે. સૂત્રો અનુ
ભારત 1 ડિસેમ્બર 2022 એક વર્ષ માટે G20 ની અધ્યક્ષતા કરી રહ્યુ છે. આ દરમિયાન વિવિધ રાજકીય પાર્ટીના અધ્યક્ષ સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવામાં આવેલ સર્વદળીય બેઠકમાં ભાગે લેશે. G20 ને લઇને ચર્ચા કરવામાં આવશે. સૂત્રો અનુસાર,ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા, કોગ્રેસ અધ્યક્ષ મલિક્કાર્જુન ખડગે, તૃણમૂલ કોગ્રેસ અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, ડીએમક અધ્યક્ષ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડી અન બીજુ જનતા દલના ચંદ્રબાબુ નાયડૂ અને ઓડીસાના મુખ્યમંત્રી નવીન પટનાયક બેઠકમાં રાષ્ટ્રપતિ ભવનમાં થનાર બેઠકમાં હાજર રહેશે.
તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) અને ભાજપ વચ્ચે ચાલી રહેલા રાજનીતિક જંગ વચ્ચે તેલંગાણાના મુખ્મમંત્રી ચંદ્રશેખર રાવની બેઠકમાં સામેલ થાવાની સંભાવના નહિવત છે. કેન્દ્રીય સંસદીય મામલોના મંત્રી પ્રહ્લાદ જોશીએ એએનઆઇ સાથે વાત કરતા જણા્વ્યુ હતુ કે, પાર્ટી અધ્યક્ષોની વ્યક્તિગત વાત કરવામાં આવી છે. જો કે, અત્યાર સુધી કેસીઆર સહિત નેતાઓએ નેતાઓ પાસેથી કોઇ પુષ્ટી મળી નથી.
જોશીએ જણાવ્યુ હતુ કે, આ બેઠકમાં પાર્ટી અધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા છે. એટલા માટે અમે તેમને આગ્રહ કર્યો છે. અધ્યક્ષો તરફથી કોઇ પ્રતિનિધિ શામીલ નહી થઇ શકે. ટીઆરએસના કે કેશવ રાવે એએનઆઇ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, અમારા નેતા સોમવારની બેઠકમાં શામિલ થવાને લઇને અણારી પાસે કોઇ જાણકારી નહી હોવાની વાત કરી હતી. વાઇએસઆર કોગ્રેસના અધ્યક્ષ અે આધ્રાપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી સોમવારની બેઠકમાં પોતાની ગેરહાજરીને લઇને પહેલા જ જાણ કરી ચૂક્યા છે.