'બળાત્કારને એન્જોય'ના કથન પર ટ્વિટર પર વ્યક્ત થયો ગુસ્સો
નવી દિલ્હીઃ સીબીઆઇ નિર્દેશક રંજીત સિંહાએ બળાત્કાર જેવા ઘૃણિત અપરાધના સંબંધમાં કરેલા કથન પર લોકોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા કિરણ બેદીએ કહ્યું છે કે, આટલા મહત્વના હોદ્દા પર બેસેલી વ્યક્તિએ આ પ્રકારનું નિવેદન ના આપવું જોઇએ, જ્યારે ભાજપના સાંસદ સ્મૃતિ ઇરાણીએ સિંહાની નિંદા કરી છે.
એક એવા સમયે જ્યારે બળાત્કાર અને મહિલા વિરુદ્ધ થનારા અપરાધ એક મોટો મુદ્દો છે અને તેને રોકવા માટે કાયદામાં બદલાવને લઇને સમાજિક બદલાવ તથા જાગરુકતાની વાતો કરવામાં આવી રહી છે, તેવામાં આટલા મહત્વના પદ પર બેસેલી વ્યક્તિ દ્વારા આ પ્રકારનું નિવેદન નિંદનીય છે.
સિંહાના આ નિવેદન પર લકોએ ટ્વિટરમાં જોરદાર ગુસ્સો કાઢ્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ કે ટ્વિટર પર લોકોએ શું કહ્યું.

ટ્વિટર પર જોવા મળ્યો આક્રોશ
સુમંથ વસુએ કહ્યું છે કે, આ એક ઘણું જ નીચ નિવેદન છે. જો આવું તેમના પરિવાર સાથે થાય તો તેમને ખબર પડે.

ઉત્કર્ષા
ઉત્કર્ષાનું કહેવું છે કે, જો આવું તેના પરિવારના કોઇ સભ્ય સાથે થાય છે, ત્યારે તેઓ આ ગુના અંગે સમજી શકશે.

મહિલાઓ માટે કરવામાં આવે છે ખરાબ ટિપ્પણી
એક ટ્વિટર યુઝરનું કહેવું છે કે આ પ્રકારની હલકી ટિપ્પણી હંમેશા મહિલાઓ માટે કરવામાં આવે છે.

દેશ થયો શર્મસાર
વિજય ઠક્કરનું કહેવું છે કે, હાઇ કોર્ટના જજ પર યૌન શોષણનો કેસ અને રંજીત સિંહાની આ ટિપ્પણી તેમને શરમ આવવી જોઇએ.

સીબીઆઇના પચાસ વર્ષ
શું સીબીઆઇ પોતાના પચાસ વર્ષ પૂર્ણનો જશ્ન બળાત્કારથી મનાવી રહી છે?

મીડિયાની નિંદા કરી
કિરણ શિંદેએ આ આખા ઘટનાક્રમ પર મીડિયાની નિંદા કરી છે.

શરમ આવી જોઇએ
તેજસ બરોતનું કહેવું છે કે, જે પ્રકારની સોચ તેઓ રાખે છે, તેના પર તેમને શરમ આવી જોઇએ.

જજ અને નિર્દેશકની કરણી અને કથની શરમજનક
હાઇકોર્ટના જજ યૌન શોષણ કરે છે અને નિર્દેશક આવી વાતો કરે છે, તેમને શરમ આવી જોઇએ.

આસારામના વકીલ બને રંજીત સિંહા
શ્રી ઝુનઝુનવાલાએ કહ્યું છે કે, રંજીત સિંહાને આસારામના વકીલ બની જવું જોઇએ.

અશોભનીય તુલના
બેટિંગ અને બળાત્કારની તુલના ક્યારેય કરી શકાય નહીં.












Click it and Unblock the Notifications
