સુપ્રિમ કોર્ટને મળ્યા બે નવા જજ, કેન્દ્ર એ જસ્ટીસ ભઇયા અને એસવી ભટ્ટીની કરી નિયુક્તિ
કેન્દ્રએ તલંગાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉજ્વલ ભઇયા અને કેરલ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એસવી ભટ્ટીને સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશના રુપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે . સુપ્રિમ કોર્ટ કોલેજિયમ પાછળ ગયા વર્ષે કોલેજિયમને તેમના પદ્ોન્નતિની ભલામણ કરી હતી.

ન્યાયામૂર્તિ ભઇયા વર્તમાનમાં તેલંગાણા હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ છે. અને ન્યાયામૂર્તિ ભટ્ી કેરલ ઉચ્ચ ન્યાયાલયના મુ્ખ્ય ન્યાયાધીશ છે. તેમની નિયુક્તિ સાથે જ સુપ્રિમ કોર્ટમાં 34 ન્યાયાધીશની સ્વીકૃત ંખ્યાથી 32 ન્યાયધીશ થઇ ગઇ છે. સુપ્રિમ કોર્ટમાં જસ્ટીસ ભઇયાાનો કાર્યકાાળ 2 ઓગસ્ટ 2029 સુધી જસ્ટીસ ભટ્ટીનો 6 મે 2027 સુધીનો છે.
કોલેજિયમના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ છે કે, હાઇકોર્ટના ન્યાયાધીશના રૂપમાં પોતાના લાંબા કાર્યકાળ દરમિયાન ન્યાયામુર્તિ ભિયાએ કાનુનના વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ અનુભવ મેળવ્યો છે. તેમણે કરાધાનના કાયદામાં વિશેષજ્ઞતા અને ડોમેન જ્ઞાન મેળવ્યુ છે. તેમણે મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયાધીશના રૂપમાં કામ કર્યુ છે.
આ સાથે જ ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભઇયાને 17 ઓક્ટોબર 2011 ગુવાહાટી હાઇકોર્ટના ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે જ 28 જુનથી તેલંગાણા રાજ્ય માટે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રુપમાં કાર્યરત છે.
આંધ્રાપર્દેશની હાઇખોર્ટના ન્યાયાધીશ અને બાદમાં કેરલ હાઇખોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભટ્ટીને કોલેજીયમે પોતાના મંત્વ્ય આપતા કહ્યુ કે કાયદાની વિવિધ શાખાઓના મુદ્દા સંબંધીત તેમના દ્વારા લખવામાં આવેલા નિર્ણય તેમની કાયદાકીય કૌશલ્ય અને ક્ષમતાની સાક્ષી પુરે છે. આંધ્રા પ્રેદશ રાજ્યના પ્રતિનિધિત્વ સિવાય ન્યાયામૂર્તિ ભાટ્ટીની નિયુક્તિ એક મૂલ્યવર્ધન પ્રદાન કરશે. જસ્ટીસ ભટ્ટી મૂળ હાઇકોર્ટ ઓગસ્ટ 2022 થી સુપ્રિમ કોર્ટથી બેચમાં કોઇ પ્રતિનિધિત્વ નથી.












Click it and Unblock the Notifications
