ઉત્તરી કાશ્મીરમાં સેનાએ કર્યો ગોળીબાર, બેના મોત

સ્થાનિક રહેવાસીઓએ આ હત્યાઓના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું જે આજે બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ ગોળીબારીમાં મોતને ભેટ્યાં હતા. સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. સેનાએ જણાવ્યું હતું કે એક યુવકની હત્યામાં સેનાનો કોઇ હાથ નથી જ્યારે બીજા યુવકનું સેના દ્વારા પોતાના બચાવમાં કરવામાં ગોળીબારીમાં મોત નિપજ્યું હતું. ભીડ દ્વારા એમ્બુલન્સને આગ લગાવવાનો પ્રયત્ન કરવામાં આવતાં સેનાએ બચાવમાં ગોળી ચલાવી હતી.
સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદી ગતિવિધિપ વિશે ગુપ્ત જાણકારી મળતાં તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘેરાબંધીવાળા વિસ્તારમાં ગોળીઓની અવાજ સંભાળાયો હતો અને બાદમાં જાણવા મળ્યું કે એક યુવકનું મોત નિપજ્યું હતું.
સેના અધિકારીએ જણાવ્યું હતું કે થોડા સમય બાદ સેનાની એમ્બ્યુલન્સ જ્યારે ડોક્ટરો અને કેટલાક અન્ય કર્મચારીઓને લઇને આ વિસ્તારથી પસાર થઇ રહી હતી તો ભીડે હુમલો કર્યો અને વાહનને આગ લગાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને જણાવ્યું હતું કે સૈનિકોએ બચાવમાં ગોળી ચલાવી જેમાં બીજા યુવકનું મોત નિપજ્યું હતું. પરિસ્થિતી પર ધ્યાન રાખી રહેલા પોલીસ અધિકારીઓ આ ઘટના અંગે મૌન પાળીને બેઠ્યાં છે.












Click it and Unblock the Notifications
