કરાચીથી જોડાયા ઉદયપુર ઘટનાના તાર, તપાસમાં થયો મોટો ખુલાસો
ઉદયપુરમાં ટેલરની નિર્દય હત્યામાં હવે પાકિસ્તાનની કડી સામે આવી રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ તપાસમાં એ વાત સામે આવી છે કે હત્યાને અંજામ આપનારા બે કટ્ટરપંથીઓ કરાચીમાં સુન્ની ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે સં
ઉદયપુરમાં ટેલરની નિર્દય હત્યામાં હવે પાકિસ્તાનની કડી સામે આવી રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ તપાસમાં એ વાત સામે આવી છે કે હત્યાને અંજામ આપનારા બે કટ્ટરપંથીઓ કરાચીમાં સુન્ની ઈસ્લામિક સંગઠન દાવત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલા હતા. તેની કડી બરેલવી ઇસ્લામિક તહરીક એ લબ્બેક સંગઠન સાથે છે જે પાકિસ્તાનમાં કટ્ટરપંથી સંગઠન છે. જણાવી દઈએ કે મંગળવારે 38 વર્ષીય રિયાઝ અને 39 વર્ષીય ઘોષ મોહમ્મદે ટેલર કન્હૈયા લાલની છરી વડે ગળું કાપીને હત્યા કરી હતી. રિયાઝ વ્યવસાયે વેલ્ડર છે જેણે હત્યા માટે છરી તૈયાર કરી હતી. તેણે મહંમદના વિવાદના ઘણા સમય પહેલા આ છરી તૈયાર કરી હતી.
બન્ને આરોપી ગિરફ્તાર
બંને આરોપીઓ અજમેર શરીફ ખાતે અન્ય વીડિયો શૂટ કરવા જઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાન પોલીસે રાજમસંદમાંથી ધરપકડ કરી હતી. નોંધનીય છે કે બંને આરોપીઓએ પહેલા જ 17 જૂને એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ મોહમ્મદ સાહેબનું અપમાન કરનારાઓનું શિરચ્છેદ કરશે. કન્હૈયા લાલની હત્યા બાદ આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. બંનેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી પણ આપી છે.
કરાચીથી જોડાયા તાર
તપાસમાં એ વાત સામે આવી છે કે બંને આરોપી સુન્ની ઈસ્લામના આસ્થાવાન સૂફી બરેલવી સાથે સંબંધ ધરાવે છે. આ સંગઠન કરાચીની દાવત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલું છે. બંને આરોપી હત્યારાઓએ પોતાને કટ્ટરપંથી બનાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, બંનેના કટ્ટરપંથી સંગઠન સાથે કોઈ સંબંધ છે કે કેમ અને મુસ્લિમ બ્રધરહુડ સાથે સંબંધ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે, બંને વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. NIA આ મામલે તપાસ કરી રહી છે.
કરાચીના સંગઠનનું લક્ષ્ય શું છે?
કરાચી સ્થિત દાવત-એ-ઈસ્લામી સંગઠન વિશે વાત કરીએ તો, તે મુખ્યત્વે કુરાન અને સુન્નાના શિક્ષણને આગળ ધપાવે છે, તેનો હેતુ સમગ્ર વિશ્વમાં શરિયાનો અમલ કરવાનો છે. આ સંગઠનને પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં લોકો માને છે અને તેના ઈશનિંદા કાયદાનું સમર્થન કરે છે. ઉદયપુરમાં જે રીતે ઘાતકી હત્યાએ દેશની આંતરિક સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે તે જ રીતે આ ઘટનાએ ભારતમાં કટ્ટરપંથી ઈસ્લામ પર પણ સવાલો ઉભા કર્યા છે. જો કે આ ઘટના બાદ સરકારે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ આ ઘટના પર નજીકથી નજર રાખી રહ્યું છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તેઓ PFI સાથે સંબંધિત છે કે કેમ.