મહારાષ્ટ્રમાં ઠાકરેની સરકાર, ઉદ્ધવ ઠાકરેએ લીધા મુખ્યમંત્રી પદના શપથ
મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછીથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ હવે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની ગઠબંધન સરકારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા.
મહારાષ્ટ્રને આજે નવા મુખ્યમંત્રી મળ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછીથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ બાદ હવે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની ગઠબંધન સરકારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા. ઉદ્ધવે શિવાજી મહારાજને નમન કરી મરાઠી ભાષામાં શપથ લીધા છે અને તેઓ ઠાકરે પરિવારના પહેલા મુખ્યમંત્રી છે. ઉદ્ધવ બાદ મંત્રીમંડળના અન્ય પ્રધાનો શપથ લઈ રહ્યા છે.

આ લોકો રહ્યાં હાજર
તમને જણાવી દઈએ કે રાજકારણ અને ઉદ્યોગપતિઓ સિવાય મહારાષ્ટ્રમાં આત્મહત્યા કરનારા 400 ખેડૂતોના પરિવારો પણ ઉદ્ધવના શપથ ગ્રહણમાં સામેલ થયા હતા. આ ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના ભાઈ રાજ ઠાકરે, એનસીપી નેતા સુપ્રિયા સુળે, અજિત પવાર, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખાડગે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ, ડીએમકેના વડા એમ.કે.સ્ટાલિન તેમજ ઘણા મોટા નેતાઓ શપથ સમારોહમાં હાજર રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના સ્ટેજ પર દેવેન્દ્ર ફડણવીસ પણ જોવા મળ્યા હતા.

આ મંત્રીઓએ પણ લીધા શપથ
- એકનાથ શિંદે (શિવસેના)
- સુભાષ દેસાઈ (શિવસેના)
- જયંત પાટિલ (એનસીપી)
- છગન ભુજબલ (એનસીપી)
- બાલા સાહેબ થોરાટ (કોંગ્રેસ)
- નીતિન રાઉત (કોંગ્રેસ)

શપથ લેવા માટે શિવાજી પાર્ક કેમ પસંદ કરાયો હતો
અમે તમને જણાવી દઈએ કે શિવસેનાને શિવાજી પાર્ક મેદાન સાથે ખૂબ લગાવ છે, બાલા સાહેબ ઠાકરેએ અહીંથી તેમની પ્રથમ રેલીને સંબોધન કર્યું હતું. બાલાસાહેબ ઠાકરેના અંતિમ સંસ્કાર પણ અહીં કરવામાં આવ્યા હતા. આ પાર્ક મુંબઈના દાદરમાં સ્થિત છે અને તે શહેરનુ સૌથી મોટો ઉદ્યાન છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
