મોદી કેબિનેટે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગને આપી મંજૂરી
મોદી કેબિનેટે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગને આપી મંજૂરી આ આયોગ ભારતમાં લેશે એમસીઆઇની જગ્યા આ અંગે વધુ વાંચો અહીં...
કેન્દ્ર સરકારે શુક્રવારે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના બિલ, 2017ને મંજૂરી આપી હતી. આ બિલ હેઠળ કેન્દ્ર સરકાર ચિકિત્સા શિક્ષા વ્યવસ્થાને પહેલાં કરતા વધુ પારદર્શી અને ગુણવત્તાવાન બનાવવા માટે રાષ્ટ્રીય ચિકિત્સા આયોગનું ગઠન કરશે. આ આયોગ ભારતીય ચિકિત્સા પરિષદ(એમસીઆઈ)ની જગ્યા લેશે. ઉલ્લેખનીય છે કે,એમસીઆઈ ભારતમાં મેડિકલ શિક્ષાના નિરીક્ષણવાળી સર્વોચ્ચ સંસ્થા હતા. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં આ બિલને મંજૂરી મળી હતી. આથી હવે સરકાર વર્તમાન શિયાળુ સત્રમાં સંસદમાં આ બિલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ બિલ અનુસાર, રાષ્ટ્રીય ચિકિત્સા આયોગમાં 20 સભ્યો હશે. આયોગના અધ્યક્ષ અને સભ્યોની ચૂંટણી કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી કમિટી કરશે. બિલ અનુસાર, રાષ્ટ્રીય ચિકિત્સા આયોગમાં 4 સ્વાયત્ત બોર્ટનું ગઠન કરવામાં આવશે. આ ચારેય સંસ્થાઓ મેડિકલ કોલેજોમાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યૂએશનની શિક્ષા, કોલેજોને માન્યતા આપવી, નિરીક્ષણ કરવું, કોઇ માનક પૂર્ણ ન કરવા પર દંડ કરવો જેવા કાર્યો કરશે. નોંધનીય છે કે, નીતિ આયોગ દ્વારા એમસીઆઈને સમાપ્ત કરી રાષ્ટ્રીય ચિકિત્સા આયોગના ગઠનનું સૂચન કેન્દ્ર સરકારને કર્યું હતું.