Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉર્જામંત્રી પિયૂષ ગોયલે કરી નોટબંધીથી થયેલા ફાયદાની વાત, કહ્યુ બધા સાથે કરશે શેર

આઇઆઇએમ બેંગલુરુમાં આયોજિત લીડરશીપ સમિટમાં બોલતા ઉર્જા મંત્રીએ કહ્યુ કે નોટબંધીથી થયેલા ફાયદા લોકો સુધી પહોંચાડવામાં આવશે...

નોટબંધી પર થઇ રહેલી સરકારની આલોચનાને વખોડતા ઉર્જા મંત્રી પિયૂષ ગોયલે કહ્યુ કે ડિમોનીટાઇઝેશનથી મળેલા લાભો બધા સાથે શેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ આઇઆઇએમ બેંગલુરુમાં આયોજિત એક ઇવેંટમાં બોલી રહ્યા હતા.

piyush

આઇઆઇએમ લીડરશીપ સમિટ 2016 માં બોલ્યા મંત્રી

આઇઆઇએમ બેંગલુરુમાં આયોજિત લીડરશીપ સમિટ 2016 માં બોલતા ઉર્જા મંત્રી પિયૂષ ગોયલે કહ્યુ કે, 'ડિમોનીટાઇઝેશનથી આપણને ઘણો ફાયદો થવા જઇ રહ્યો છે. આ ફાયદાને દેશમાં બધા સાથે શેર કરવામાં આવશે. લોકોના કલ્યાણ માટે, ખાસ કરીને ગરીબોના હિતમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.'

નોટબંધી પર થઇ રહેલી સરકારની આલોચના

નોટબંધી પર થઇ રહેલી સરકારની આલોચના પર ઉર્જા મંત્રીએ કહ્યુ કે ડિમોનીટાઇઝેશનનો વિરોધ થોડા લોકો જ કરી રહ્યા છે. તેમને છોડીને દેશના મોટાભાગના લોકોએ સરકારના આ પગલાને આવકાર્યુ છે. તેમણે કહ્યુ કે નોટબંધીને મળેલા સમર્થન પર સરકાર ખુશ છે. જો કે મંત્રીએ એ ન જણાવ્યુ કે ડિમોનીટાઇઝેશનથી આખરે કયા કયા ફાયદા મળ્યા?

2022 સુધી દેશભરને રોશન કરવાનું લક્ષ્ય

ઉર્જા મંત્રીએ કહ્યુ કે સરકારને વિશ્વાસ છે કે 2022 સુધી દેશના બધા વિસ્તારમાં સાતે દિવસ 24 કલાક વિજળી મળશે. તેમણે કહ્યુ કે, 'ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થતા પહેલા અમે બધા નાગરિકો સુધી સસ્તી વિજળી પહોંચાડવા માંગીએ છીએ. લોકોના ઘરો સુધી સતત ગ્રીન એનર્જી પહોંચાડવાનું લક્ષ્ય છે જેથી કોઇ બાળકનું ભણતર વિજળીના અભાવે બગડે નહિ.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X