નવા સ્માર્ટ સીટીના લિસ્ટમાં જોડાયું રાજકોટ, દાહોદ સમેત આ શહેર...
ગુજરાતના ત્રણ શહેરોના નામ નવા જાહેર કરાયેલા સ્માર્ટ સીટીની લિસ્ટમાં આવ્યા છે. આ અંગે વિગતવાર જાણો અહીં.
કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સીટીનું ત્રીજું લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લીસ્ટમાં ગુજરાતના ત્રણ શહેરાના નામ પણ જોડવામાં આવ્યા છે. આમ અમદાવાદ, સુરત અને વડોદરા પછી રાજકોટ, દાહોદ અને ગાંધીનગરને પણ સ્માર્ટ સીટીનો હોદ્દો મળ્યો છે. અને તેને આ રીતે વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટીના આ લિસ્ટમાં 90 શહેરોને સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડૂએ આ લિસ્ટ જાહેર કરતા કહ્યું છે કે તેમાં રાજકોટ, તિરુવનંતપુરમ, અમરાવતી, પટના અને શ્રીનગરને પણ સામેલ કરવામાં આવ્યું છે.

કેરળની રાજધાની
આ લિસ્ટમાં કેરળની રાજધાની તિરુવનંતપુરમને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરની પણ બંન્ને રાજધાની જમ્મુ અને શ્રીનગરને આ લિસ્ટમાં જોડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ 30 શહેરોમાં કુલ 57393 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે અને તેને સ્માર્ટ સીટી બનાવવામાં આવશે. આ સાથે જ સ્માર્ટ સીટીની સંખ્યા હવે 90 સુધી પહોંચી છે. ત્યારે આ નવા લિસ્ટમાં કયા 30 શહેરોને જોડવામાં આવ્યા છે જાણો અહીં...
- તિરુવનંતપુરમ
- નયા રાયપુર
- રાજકોટ
- અમરાવતી
- પટના
- કરીમનગર
- મુઝફ્ફરપુર
- પોન્ડીચેરી
- ગાંધીનગર
- શ્રીનગર
- સાગર
- કર્નાલ
- સતના
- બેંગલુરુ
- શિમલા
- દેહરાધૂન
- તિરુપુર
- પિંપરી ચિંચવાડ
- બિલાસપુર
- પાસીઘાટ
- જમ્મુ
- દાહોદ
- તિરુનેલવેલી
- થુટુકુડી
- ત્રિચિરાપલ્લી
- ઝાંસી
- એઝવલ
- ઇલ્હાબાદ
- અલીગઢ
- ગંગટોક
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
