ઉન્નાવઃ ગંગા કાંઠે લાશો દફનાવી રહ્યા છે લોકો
ઉન્નાવઃ ગંગા કાંઠે લાશો દફનાવી રહ્યા છે લોકો
કોરોનાવાયરસ મહામારી વચ્ચે ગંગામાં લાશો વહેવાની ઘટના સામે આવ્યા બાદ ઉન્નાવ જિલ્લાથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે અહીં ગંગા કાંઠે મોટી સંખ્યામાં મૃતદેહો રેતીમાં બદાયેલા મળ્યા છે. ગ્રામીણોનું કહેવું છે કે પૈસા ના હોવાના કારણે લોકો હિંદૂ રીતિ-રિવાજો છોડી મૃતદેહ સળગાવવાના બદલે દફનાવીને અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. સ્થાનિક લોકોનું માનીએ તો એક મહિનામાં 300થી વધુ દેહ અંતિમ સંસ્કાર માટે આવ્યા છે. જો કે મોટાભાગના મૃતદેહોને રેતીમાં ખાડો ખોદી દફનાવી દેવામાં આવ્યા છે.

મૃતદેહોને દફનાવવાની આવી જ કેટલીક તસવીરો ઉન્નાવ જિલ્લાના હાજીપુર ચોકી ક્ષેત્રના રૌતાપુર ઘાટ અને બક્સરમાં જોવા મળી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અહીં 400થી વધુ દેહનો અંતિમ સંસ્કાર કરાયો છે. જેમાંથી મોટાભાગના દફનાવવામાં આવ્યા છે. હાલાત એવા છે કે હવે અહીં મૃતદેહને દફનાવવા માટે જગ્યા પણ નથી બચી. દરરોજ એક ડઝનેક દેહના અંતિમ સંસ્કાર થાય ચે જે પહેલાં દરરોજ 2-3 હતા. રૌતાપુર ઘાટ પર પિપરી, લંગડાપુરવા, મિર્જાપુર, ભટપુરવા, રાજેપુર, કનિકામઉ સહિત બે ડઝનેક ગામના લોકો અહીં અંતિમ સંસ્કાર કરવા માટે આવે છે.
ગંગા કાંઠે મૃતદેહ દફન કરાતા હોવાની સૂચના પળવા પર પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ મામલે ઉન્નાવ ડીએમ રવીંદ્ર કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'અમારી ટીમને નદીથી દૂર એક વિસ્તારમાં દફનાવેલા દેહ મળી આવ્યા છે. અન્ય ક્ષેત્રોમાં વધુ દફનાવેલી લાશોની તલાશ થઈ રહી છે. ટીમને પૂછપરછ કરવા કહ્યું છે. જે બાદ જ કાર્યવાહી કરશે.' જો કે ડીએમે આ લોકો કોરોનાથી મર્યા હોવાનો ઈનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ મૃતદેહ જોઈને કંઈ કહી શકાય તેમ નથી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
