For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉન્નાવ રેપ પીડિતાના લોહીમાં ખતરનાક બેક્ટેરિયા મળ્યા, હાલત નાજુક

ઉન્નાવ રેપ પીડિતાનો એમ્સમાં ઉપચાર ચાલી રહ્યો છે. તેની તબિયત સતત બગડી રહી છે, જે તેની હાલત ખુબ જ નાજુક બતાવવામાં આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

ઉન્નાવ રેપ પીડિતાનો એમ્સમાં ઉપચાર ચાલી રહ્યો છે. તેની તબિયત સતત બગડી રહી છે, જે તેની હાલત ખુબ જ નાજુક બતાવવામાં આવી રહી છે. દરમિયાન લખનૌની કેજીએમયુ હોસ્પિટલમાંથી પીડિતાનો કલ્ચર ટેસ્ટ રિપોર્ટ બહાર આવ્યો છે. આ અહેવાલમાં, લોહીમાં ખતરનાક બેક્ટેરિયા જોવા મળ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે આ બેક્ટેરિયાને ખતમ કરનારી 7 મુખ્ય દવાઓમાંથી 6 બિનઅસરકારક હોવાનું જણાયું છે. કેજીએમયુ હવે આ અહેવાલ એમ્સને મોકલશે. પીડિતાનો વકીલ હજી પણ કોમામાં છે.

આ છે લોહીમાં મળેલા બેક્ટેરિયાનું નામ

આ છે લોહીમાં મળેલા બેક્ટેરિયાનું નામ

માહિતી અનુસાર, ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન પીડિતના લોહી ક્લચરમાં એંટીરોકોક્સ બેક્ટેરિયા મળી આવ્યા છે, જે મોટે ભાગે એન્ટિબાયોટિક્સને બેઅસર બનાવે છે. કેજીએમયુના પ્રવક્તા ડો.સંદીપ તિવારીના જણાવ્યા અનુસાર, આઇસીયુમાં દાખલ દર્દીઓને આપવામાં આવતી મોટી એન્ટિબાયોટિક અસરની પરીક્ષણ કરવામાં આવ્યું હતું. લેબમાં ડ્રગની સંવેદનશીલતા પરીક્ષણમાં સાત એન્ટિબાયોટિક્સની તપાસ કરવામાં આવી હતી. પીડિતા પર છ એન્ટીબાયોટીક્સ બિનઅસરકારક હોવાનું જણાયું હતું.

આ બેક્ટેરિયા ખૂબ જ દુર્લભ છે, તે લોહીમાં કેવી રીતે પ્રવેશ્યું?

આ બેક્ટેરિયા ખૂબ જ દુર્લભ છે, તે લોહીમાં કેવી રીતે પ્રવેશ્યું?

નિષ્ણાતોએ તેને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ ગણાવી છે. પીડિતમાં એંટીરોકોક્સ બેક્ટેરિયાની પુષ્ટિ કરવામાં આવી છે. તેનો રિપોર્ટ એમ્સને મોકલવામાં આવશે. નિષ્ણાતોના મતે, આ બેક્ટેરિયા ખુબ જ દુર્લભ છે અને તે મળમાં જોવા મળે છે. તે લોહી સુધી કેવી રીતે પહોંચ્યું તેની માહિતી મેળવવી જોઈએ. આને કારણે, દવાઓ બિનઅસરકારક બની રહી છે.

કેસ નોંધાયો

કેસ નોંધાયો

ઉલ્લેખનીય છે કે પીડિતાના કાકા હાલ રાયબરેલીની જિલ્લા જેલમાં કેદ છે. એફઆઈઆરમાં ધારાસભ્ય કુલદિપ સિંહ અને તેના ભાઈ મનોજ સેંગરનું નામ પણ નોંધાયેલ છે. આ મામલામાં 10 નામજદ અને 15-20 અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ઉન્નાવ રેપ કેસની પીડિતા પોતાના પરિવાર અને વકીલ સાથે રાયબરેલી જેલમાં બંધ પોતાના કાકાને મળવા જઈ રહી હતી. રસ્તામાં તેમની કારને તેજ રફ્તારે આવતી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં પીડિતાની કાકી અને મોસી મૃત્યુ પામ્યા, જ્યારે પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે કહ્યુ્ં કે વાહન વિપરીત દિશામાં આવી રહ્યાં હતાં અને વરસાદને કારણે સ્પષ્ટ દેખાઈ ન રહ્યું હોવાથી ટક્કર થઈ.

તપાસમાં રેપની વાત સાચી મળી

તપાસમાં રેપની વાત સાચી મળી

પોલિસે આ મામલે 12 એપ્રિલના રોજ 2018ના રોજ નોંધવામાં આવ્યો. ત્યારબાદ આ કેસ સીબીઆઈ પાસે આવ્યો. સીબીઆઈએ જણાવ્યુ કે આ કેસમાં તેમણે લખનઉ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી. તપાસમાં જોવા મળ્યુ કે 4 જૂન, 2017ના રોજ રેપવાળી વાત સાચી છે. કલમ 120બી, 363, 366, 376, 506, 2 અને 3 પોક્સો એક્ટ હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. સીબીઆઈનું કહેવુ છે કે આ કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી નથી મળ્યુ પરંતુ બાકીના પુરાવા એ સાબિત કરે છે કે ગુનો થયો છે. પીડિતા અને તેની એ સીઆરપીસી 161 અને 164માં પૂરુ નિવેદન આપ્યુ છે.

આ પણ વાંચો: ઉન્નાવ કેસઃ CBIએ કહ્યુ - પીડિતાના આરોપ એકદમ સાચા, સેંગરે કર્યો હતો બળાત્કાર

English summary
Unnao Rape Case: dangerous bacteria found in victim's blood
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X