For Quick Alerts
For Daily Alerts
ટ્રેન સાથે ટકરાઇ ઉત્તર પ્રદેશના મંત્રીની કાર, મંત્રી સહિત 3ના મોત
જૌનપુર, 19 મે: ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારમાં રાજ્યમંત્રી સતઇ રામ યાદવની સોમવારે ટ્રેન સાથે અકસ્માત સર્જાતા તેમનું મોત થયું છે. સતઇ રામ એ સમયે પોતાના કારમાં સવાર હતા અને માનવરહિત રેલવે ક્રોસિંગ પાર કરી રહ્યા હતા.
સતઇ રામ યાદવ જૌનપુરના રહેનારા હતા. તેમને રાજ્યમંત્રીનો હોદ્દો મળ્યો હતો. ઘટના એ સમયે ઘટી જ્યારે તેઓ પોતાના ઘરે જઇ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સતઇ રામની સાથે તેમનો ડ્રાઇવર અને ગનર પણ હતો. આ બંનેની પણ સતઇ રામની સાથે દુર્ઘટનામાં મોત થઇ ગયું છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોનું એ પણ કહેવું છે કે રેલવે ટ્રેકની વચોવચ્ચ તેમની કાર ખરાબ થઇ ગઇ હતી, જોકે તમામ વસ્તુઓ અંતિમ તપાસ બાદ જ સ્પષ્ટ થઇ શકશે.
Comments
English summary
A Uttar Pradesh state minister died on Monday in an accident at an unmanned railway crossing in Jaunpur district.
Story first published: Monday, May 19, 2014, 12:44 [IST]