UP Nagarpalika Election: બસપા અને સપાના ઘણા નેતાઓ ભાજપમાં થયા સામેલ, યોગી-મોદી સરકારની નીતિઓથી થયા પ્રભાવિત
UP Nagarpalika Election: ઉત્તર પ્રદેશમાં સોમવારે બસપા અને સપાના ઘણા નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપમાં સામેલ થયા.
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી બૃજેશ પાઠક સમક્ષ બહુજન સમાજ પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ તેમજ પૂર્વ ધારાસભ્ય ડૉ. કે. કે. સચાન(કાનપુર) તથા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સાત વાર ધારાસભ્ય રહી ચૂકેલ નરેન્દ્ર સિંહ યાદવે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ભાજપનુ સભ્યપદ ગ્રહણ કર્યુ.

ફર્રુખાબાદના જિલ્લા પંચાયત પ્રમુખ મોનિકા યાદવ, સમાજવાદી પાર્ટીના ફર્રુખાબાદ લોકસભાના પૂર્વ ઉમેદવાર સચિન સિંહ યાદવ અને પ્રદેશ પ્રમુખ ઉત્તર પ્રદેશ ટિમ્બર એસોસિએશન અને રાજ્ય સચિવ સમાજવાદી પાર્ટી વેપાર સભા મોહનીશ ત્રિવેદી તેમના સમર્થકો સાથે ભાજપ પરિવારમાં જોડાયા હતા.
રાજ્યના ઉપ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે ભાજપમાં જોડાયેલા લોકોનુ સ્વાગત કરીને કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપની સરકારો ભારતને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પ સાથે કામ કરી રહી છે.
બ્રિજેશ પાઠકે વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટીની અંત્યોદય વિચારધારા સાથે વિવિધ રાજકીય પક્ષો અને વિવિધ સામાજિક સંસ્થાઓ, વેપારી સંસ્થાઓના લોકો સતત મોટી સંખ્યામાં ભાજપ પરિવારમાં જોડાઈ રહ્યા છે.
બ્રિજેશ પાઠકે કહ્યું કે ઉત્તર પ્રદેશ ભાજપ સરકારમાં શ્રેષ્ઠ રાજ્ય બન્યુ છે અને હવે આપણે બધા સાથે મળીને તેને શ્રેષ્ઠ રાજ્ય બનાવીશુ. આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારમાં ઉત્તર પ્રદેશ સૌને શિક્ષણ, સૌને સુરક્ષા અને સૌને તબીબી સારવારની પ્રતિબદ્ધતા સાથે વિકાસના પથ પર આગળ વધી રહ્યુ છે. જ્યારે સપા-બસપાની સરકારોમાં ઉત્તર પ્રદેશ ગુંડાઓ, માફિયાઓ, ટોળકી, ગુનેગારો અને ભ્રષ્ટાચારીઓના ચુંગાલમાં કેદ હતુ.
ભાજપની નીતિઓ અને વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કરીને પાઠકે પક્ષમાં જોડાયેલા તમામ લોકોને આવકારતાં જણાવ્યુ હતુ કે, તમે સૌ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પોતપોતાના વિસ્તારોમાં સખત મહેનત કરીને ભાજપને વિશાળ માર્જિન સાથે વિજયી બનાવવા તમારો સહકાર આપો.
પાર્ટીના પ્રદેશ મહાસચિવ સંજય રાય, રામપ્રતાપ સિંહ ચૌહાણ અને રાજ્યના મીડિયા સહ-ઈન્ચાર્જ હિમાંશુ દુબે અને અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં આયોજિત સભ્યપદ સમારોહમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સહિત વેપારી અગ્રણીઓ અને વિવિધ સામાજિક સંસ્થાઓના લોકો પટકા પહેરીને ભાજપ પરિવારમાં સામેલ થયા હતા.












Click it and Unblock the Notifications
