UP News: યોગી સરકારના આ પગલાંથી ખતમ થશે જનતાની મુશ્કેલીઓ, હવે મળશે આ સુવિધાઓ
Uttar Pradesh chief minister Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે ઉત્તર પ્રદેશમાં વિભાગીય મુખ્યાલયમાં સંકલિત વિભાગીય કાર્યાલય સંકુલ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે સંકલિત વિભાગીય કાર્યાલય સંકુલ સરકાર સંચાલિત સચિવાલય જેવું હોવુ જોઈએ, જે વહીવટી કાર્યક્ષમતા વધારશે અને લોકોને સુવિધા પૂરી પાડશે.

યુપીના સીએમ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વારાણસી અને ગોરખપુરમાં સંકલિત વિભાગીય કાર્યાલય સંકુલની પ્રગતિની સમીક્ષા કરી રહ્યા હતા. યોગી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વારાણસી અને ગોરખપુરમાં સંકલિત વિભાગીય કાર્યાલય સંકુલોની પ્રગતિની સમીક્ષા કરી રહ્યા હતા. તેમણે બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે પ્રારંભિક તબક્કામાં, રાજ્ય સરકારે ગોરખપુર અને વારાણસીમાં મોડલ ઈન્ટીગ્રેટેડ ડિવિઝનલ ઓફિસ કોમ્પ્લેક્સ વિકસાવવાનો નિર્ણય લીધો હતો.
મુખ્યમંત્રીએ વારાણસી અને ગોરખપુરના સંબંધિત વિકાસ અધિકારીઓને વહેલી તકે જરૂરી પગલાં લેવા અને આ પ્રોજેક્ટ્સની પ્રગતિને ઝડપી બનાવવા જણાવ્યુ હતુ. યોગીએ કહ્યુ કે વિભાગીય સ્તરે સંકલિત કચેરીઓને આધુનિક સુવિધાઓ જેવી કે ઓડિટોરિયમ, વીડિયો કોન્ફરન્સિંગ રૂમ, પાર્કિંગ અને પેપરલેસ કામકાજને પ્રોત્સાહન આપવામાં આવે.
યોગીએ કહ્યું કે હવે લોકોને પોતપોતાના કામ માટે અલગ-અલગ ઓફિસોમાં જવાની અસુવિધાનો સામનો કરવો પડશે નહીં. વધુમાં, સંકલિત કાર્યાલય સંકુલ વિવિધ કચેરીઓ વચ્ચે બહેતર સંકલન અને સહકારની સુવિધા આપશે.
એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે વારાણસી અને ગોરખપુર ખાતે સંકલિત વિભાગીય કાર્યાલય સંકુલ અનુક્રમે વારાણસી વિકાસ સત્તામંડળ અને ગોરખપુર વિકાસ સત્તામંડળ દ્વારા બાંધવામાં આવે.
પ્રોજેક્ટના ખર્ચની જવાબદારી સંબંધિત વિકાસ સત્તાધિશોની રહેશે. એકવાર સંકલિત ઇમારતો કાર્યરત થઈ જાય પછી, આ સંકુલોમાં શિફ્ટ થયેલી સરકારી કચેરીઓએ તેમની અગાઉની ઇમારતો ખાલી કરવી જોઈએ, સત્તાધિકારીને તે મુજબ જમીન અને ઇમારતોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઈએ. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારની આંશિક નાણાકીય સહાયની દરખાસ્તની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
