UP News: ખાનગી સ્કૂલો પર યોગી સરકારે કસ્યો ગાળિયો, ફ્રી પ્રવેશ નહિ આપે તો નહિ મળે માન્યતા
Yogi Government: ઉત્તર પ્રદેશ સરકારે હવે યુપીમાં ખાનગી શાળાઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જે શાળાઓ પોતાનેત્યાં મફત પ્રવેશ નહીં આપે તેમને માધ્યમિકની માન્યતા આપવામાં આવશે નહીં.
યોગી સરકારના આ આદેશ બાદથી આવી શાળાઓમાં ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે જે સ્કૂલોમાં ગરીબ પરિવારના બાળકોની સંખ્યા ઓછી છે તેની પણ ઓળખ કરવામાં આવી રહી છે.

વાસ્તવમાં, ધોરણ 9થી 12 સુધીની CBSE અને CISE શાળાઓને ત્યારે જ માન્યતા મળે છે જ્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ તેની સંમતિ આપે છે.
જો સરકારી અધિકારીઓની વાત માનીએ તો શાળાઓની ઓળખ થયા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને તેમને માધ્યમિક શાળા તરીકે માન્યતા આપવામાં આવશે નહીં. પ્રાથમિક શિક્ષણ વિભાગ એવી શાળાઓને નોટિસ જાહેર કરી રહ્યું છે જેણે ચાલુ સત્રમાં ગરીબ પરિવારોના ઓછા બાળકોની નોંધણી કરી છે.
પ્રાથમિક શિક્ષણ વિભાગના ડાયરેક્ટર ડૉ.મહેન્દ્ર દેવના જણાવ્યા અનુસાર, ગરીબ પરિવારના બાળકોને ફ્રીમાં એડમિશન આપવા માટે તમામ સ્કૂલોને નોટિસ આપવામાં આવી હતી. જો તેઓ આમ નહીં કરે તો જે શાળાઓને ધોરણ આઠ સુધીની માન્યતા આપવામાં આવી છે તે પણ પાછી ખેંચી શકાશે. શાળાઓ આ માટે કોઈ બહાનું કરી શકે નહીં.












Click it and Unblock the Notifications
