પીએમ મોદી આજે ફેરિયાવાળા સાથે કરશે વાત, 3 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને મોટી ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(મંગળવાર 27 ઓક્ટોબર) ફેરિયાવાળા સાથે વાત કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(મંગળવાર 27 ઓક્ટોબર) ફેરિયાવાળા સાથે વાત કરશે. પીએમ મોદી મંગળવારે સવારે 10.30 વાગે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ સાથે સીધો સંવાદ કરશે. પીએમ નરેન્દ્ર મોદી આજે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ 3 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપશે. પીએમ મોદી આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. પીએમ મોદી આજે ઉત્તર પ્રદેશના 3 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપશે.
ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે સોમવારે(26 ઓક્ટોબર) કહ્યુ કે ઉત્તર પ્રદેશે જૂન 2020માં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માર્ગ વિક્રેતાઓ અને ફેરિયાવાળાને કોવિડ-19 લૉકડાઉનમાં મદદ માટે લગભગ 2.6 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપી છે. આ હેઠળ પીએમ મોદી સ્ટ્રીટ વેન્ડર્સ સાથે વાત કરશે.
ઉત્તર પ્રદેશ સરકારે કહ્યુ કે ઉત્તર પ્રદેશ સરકારે પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના હેઠળ બધી ત્રણ શ્રેણીઓમાં પહેલો રેન્ક મેળવ્યો છે જેમાં આવેદન, પ્રતિબંધ અને લોનનુ વિતરણ શામેલ હતુ. 26 ઓક્ટોબર સુધી 2.59 લાખ લાભાર્થીઓને લોન આપવામાં આવી હતી. જ્યારે 6.4 લાખ આવેદન જમા કરવામાં આવ્યા હતા. 3.62 લાખ વિક્રેતાઓની લોન પાસ કરવામાં આવી હતી.
હાથરસ કેસઃ આજે SCનો મોટો ચુકાદો, ટ્રાયલ, ટ્રાન્સફર અને પીડિત પરિવારની સુરક્ષા પર સુનાવણી