લગ્નમાં ફાયરિંગ કર્યું તો સીધા જેલમાં

wedding
લખનઉ, 1 જૂનઃ ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં વિવાહ સમારોહ અને ખુશીની અન્ય અવસરો દરમિયાન ફાયરિંગના કારણે થઇ રહેલા મૃત્યુંને ગંભીરતાથી લેતા પોલીસ અધિક્ષકોને તેના પર અંકુશ લગાવવા નિર્દેશ આપ્યા છે.

ગત એક અઠવાડિયામાં રાજ્યના વિભિન્ન ભાગોમાં લગ્ન પ્રસંગે ગોળી વાગવાથી અંદાજે આઠ લોકોના મોત થયા અને 10 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. પ્રતાપગઢ જિલ્લાના મધુપુરમાં 31 મેની રાતે એક લગ્ન સમારોહમાં ગોળીબારમાં એક યુવકે જીવન ગુમાવવો પડ્યો છે.

ઉત્તર પ્રદેશના પોલીસ મહાનિરીક્ષક(કાયદો-વ્યવસ્થા) રાજકુમાર વિશ્વકર્માએ કહ્યું કે તમામ પોલીસ અધિક્ષકોને લગ્ન પ્રસંગે કરવામાં આવતા ફાયરિંગ પર અંકુશ લગાવવા માટે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, પોલીસકર્મીઓને સમારોહ આયોજિત કરનારાઓએ આ અંગે માહિતગાર કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તે આયોજનકર્તાઓને સૂચિત કરશે કે અસલહા લઇને ચાલતા લોકોની શાંતિ ભંગ કરવાની આશંકા સબબ ધરપકડ પણ કરવામાં આવી શકે છે. વિશ્વકર્માએ કહ્યું કે પોલીસ અધિક્ષકોને કહેવામાં આવ્યું છે કે જો કોઇ વ્યક્તિ લગ્ન પ્રસંગે ગોળીબાર કરતો પકડાય તો તેનું લાઇસન્સ રદ કરી નાંખવું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X