Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UPTET 2021: કેવી રીતે લીક થયુ પેપર, ક્યા બન્યો હતો પ્લાન, કોણ છે માસ્ટરમાઇન્ડ? જાણો વિગતો

UPTET 2021નું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ થવાને કારણે 21 લાખ ઉમેદવારોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. આ મામલે UP STFની કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર કેસમાં પેપર પ્રિન્ટ કરવા માટે ટેન્ડર જી

UPTET 2021નું પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા રદ થવાને કારણે 21 લાખ ઉમેદવારોને નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. આ મામલે UP STFની કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર કેસમાં પેપર પ્રિન્ટ કરવા માટે ટેન્ડર જીતનાર કંપની આરએસએમ ફિનસર્વના ડાયરેક્ટર અનૂપ પ્રસાદ રાય અને આ પરીક્ષા આપનાર પરીક્ષા નિયમનકારી અધિકારી સંજય ઉપાધ્યાય સહિત 34 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને પકડવા માટે સતત દરોડા ચાલુ છે. પકડાયેલા આરોપીઓને ટૂંક સમયમાં રિમાન્ડ પર લઈ પૂછપરછ કરવામાં આવશે. આ કેસ સાથે જોડાયેલી અત્યાર સુધીની તપાસના આધારે વન ઈન્ડિયા હિન્દી તમને જણાવી રહ્યું છે કે પેપર ક્યાં છપાયું, ક્યાં લીક થયું અને ક્યાં ષડયંત્ર રચવામાં આવ્યું હતુ.

Paper Leak

UPTET 2021ની પરીક્ષા 28 નવેમ્બરે યોજાવાની હતી, રદ કરાઇ

UPTETની પરીક્ષા 28 નવેમ્બરે બે શિફ્ટમાં યોજાવાની હતી. પરીક્ષામાં 21 લાખથી વધુ ઉમેદવારો બેસવાના હતા. TET પ્રાથમિક સ્તરની પરીક્ષા માટે 13.52 લાખ ઉમેદવારોએ અને TET ઉચ્ચ પ્રાથમિક સ્તરની પરીક્ષા માટે 8.93 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. પેપરના દિવસે એટલે કે 28 નવેમ્બરે સવારે પેપર લીક થયાની જાણ થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી.

34 લોકો ગિરફ્તાર

આ સમગ્ર કેસમાં પેપર પ્રિન્ટ કરવા માટે ટેન્ડર જીતનાર કંપની આરએસએમ ફિનસર્વના ડાયરેક્ટર અનૂપ પ્રસાદ રાય અને આ પરીક્ષા આપનાર પરીક્ષા નિયમનકારી અધિકારી સંજય ઉપાધ્યાય સહિત 34 આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓને પકડવા માટે સતત દરોડા ચાલુ છે.

આ પ્લાનિંગ 26 ઓક્ટોબરે શરૂ થયું હતું

UPTET પેપર લીક કેસમાં અત્યાર સુધીની તપાસથી સ્પષ્ટ છે કે 26 ઓક્ટોબરે પેપર પ્રિન્ટિંગની પ્રક્રિયા શરૂ થતાં જ ષડયંત્ર શરૂ થયું હતું. અહેવાલો અનુસાર, આ કેસમાં ધરપકડ કરાયેલ પરીક્ષા નિયમનકારી અધિકારી સંજય ઉપાધ્યાયે પોતે STF અધિકારીઓની સામે આ વાત સ્વીકારી છે.

કઈ કંપનીને પેપર પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો?

ષડયંત્ર હેઠળ 26 ઓક્ટોબરે RSM Finserve નામની કંપનીને પેપર પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તપાસમાં એ વાત સામે આવી છે કે આ કંપની પાસે પેપરને સુરક્ષિત રીતે પ્રિન્ટ કરવાની કોઈ વ્યવસ્થા નહોતી. આ વાત કાવતરાખોરોને પહેલેથી જ ખબર હતી. પેપર લીક કરનાર સિન્ડિકેટ સાથે સંકળાયેલા લોકો આવા નાના, અસુરક્ષિત પ્રિન્ટિંગ પ્રેસમાં હાજર હતા.

કેવી રીતે થયું UPTET પેપર લીક?

તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ આ પ્રેસમાં UPTET પરીક્ષાનું પેપર છપાયું હતું અને અહીંથી તે ટાઉટ સુધી પહોંચ્યું હતું. આ પછી ઉત્તર પ્રદેશની મોટી ગેંગે આ લોકોનો સંપર્ક કર્યો અને પરીક્ષા પહેલા પેપર લીક કર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે આ પેપર ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં હજારો લોકો સુધી કલાકો પહેલા પહોંચી ગયું હતું. UP STFના ADG અમિતાભ યશનું પણ કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ પેપર લીક થયાની પુષ્ટિ થઈ રહી છે.

UPTET પેપર લીક કેસનો માસ્ટરમાઇન્ડ કોણ છે?

સુત્રો જણાવે છે કે પેપર પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ મળતા પહેલા જ નોઈડાની એક ફાઈવ સ્ટાર હોટલમાં સંજય ઉપાધ્યાય અને રાય અનૂપ પ્રસાદની મીટિંગ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મીટિંગમાં જ પેપર બહાર કાઢવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીઓને હોટલમાં બંનેની મુલાકાતના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X