Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UP: ભગવાન બુદ્ધની ધરતી પર સીએમ યોગીએ 451 કરોડ રુપિયાની વિકાસ પરિયોજનાઓનો કર્યો શુભારંભ

yogi adityanath

Kushinagar News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કુશીનગર જિલ્લામાં 451 કરોડ રૂપિયાના 106 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને લોકાર્પણ કર્યુ. તેમાં ખડ્ડા તાલુકાની નવી ઇમારતનો પણ સમાવેશ થાય છે. CMએ શ્રી ગાંધી કિસાન ઇન્ટર કોલેજમાં આયોજિત જાહેર સભાને સંબોધિત કરી હતી. કુશીનગરની સુગર મિલમાં પણ ઈથેનોલ બનાવવામાં આવશે.

આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યુ કે કુશીનગર ઝડપથી વિકાસ કરી રહ્યુ છે. અહીં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિકાસને વધુ વેગ મળશે. 400 કરોડના પ્રોજેક્ટથી ભગવાન બુદ્ધની ભૂમિ સાથે લોકોનું જોડાણ વધુ વધશે. અહીં દેશવાસીઓ જ નહીં વિદેશી નાગરિકો પણ આવે છે. જેને ધ્યાનમાં રાખીને પ્રવાસન ક્ષેત્રે પણ અનેક મહત્વના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

કુશીનગર એ શેરડીનુ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. અહીંની સુગર મિલો ખેડૂતોની સાથે સાથે સામાન્ય લોકો માટે પણ ખૂબ મહત્વની છે. આ પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર અને નેપાળ સહિત દેશના અન્ય ભાગોમાં ખાંડનો સપ્લાય કરે છે. આવી સ્થિતિમાં કુશીનગરનું પોતાનું વિશેષ મહત્વ છે.

સીએમ યોગીએ 422 કરોડ રૂપિયાના ખર્ચે 329 પ્રોજેક્ટ્સનો શુભારંભ કર્યો અને ખડ્ડા તાલુકામાં આયોજિત એક સમારોહમાં 1546 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ એસેમ્બલીઓમાં 461 પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. જેમાં ખડ્ડા તાલુકામાં નવ કરોડથી વધુના ખર્ચના કામો, જાહેર બાંધકામ વિભાગના 261 કરોડના પ્રોજેક્ટ, બાર ખંડના 88 કરોડના પ્રોજેક્ટ અને ખડ્ડા વિધાનસભાના કુલ 194 કરોડના ખર્ચના 17 પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X