Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉત્તર પ્રદેશના વીજ કર્મચારીઓની હડતાળનો અંત, 65 કલાક બાદ વીજ સંકટનો અંત

આ હડતાળની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વીજળીની અછતને કારણે રાયબરેલીની હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં મોટી સમસ્યાઓ ઉભી થઈ હતી.

ઉત્તર પ્રદેશમાં વીજ કર્મીઓની હડતાલના અંત સાથે વીજ સંકટનો અંત આવ્યો છે. 65 કલાકની હડતાળ બાદ વીજ કર્મચારીઓ અને યુપી સરકાર વચ્ચેની મડાગાંઠ અને ત્રણ રાઉન્ડની વાટાઘાટો બાદ હડતાલનો અંત આવ્યો છે. હડતાળ સમાપ્ત થતાં ઉત્તર પ્રદેશના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. 65 કલાકથી અંધારામાં રહેલા લોકોના ઘરોમાં વીજળી હવે ફરીથી પુનઃસ્થાપિત થઈ છે.

power

રવિવારે ત્રીજા રાઉન્ડની વાટાઘાટોમાં ઊર્જા મંત્રી સાથે એનર્જી કોર્પોરેશનના ચેરમેન એમ દેવરાજ, મેનેજિંગ ડિરેક્ટર પંકજ કુમાર અને એમડી પી ગુરુ પ્રસાદ હાજર હતા અને હડતાલનો સફળતાપુર્વક અંત આવ્યો હતો.

આ હડતાળની અસરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વીજળીની અછતને કારણે રાયબરેલીની હોસ્પિટલોમાં દર્દીઓની સારવારમાં મોટી સમસ્યાઓ ઉભી થઈ હતી. બનારસ અને કાનપુર જેવા ઔદ્યોગિક સ્થળોના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

મામલાની ગંભીરતા જોતા ઉર્જા મંત્રી એ કે શર્માએ હડતાળ પર ઉતરેલા વીજ કર્મચારીઓને ESMA અને FIR જેવી કાર્યવાહીમાંથી મુક્ત કરવાની ખાતરી આપી હતી. હવે વિદ્યુત કર્મચારી સંયુક્ત સંઘર્ષ સમિતિએ કર્મચારીઓને કામ પર પાછા ફરવા અપીલ કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X