વાદળ ફાટ્યા પછી લાપતા 20 લોકોમાંથી 15 લોકોની લાશ મળી
ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ થયો છે. અહીંના આઠ જિલ્લામાં ત્રાહિમામ મચી ગયો છે
ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ભારે વિનાશ થયો છે. અહીંના આઠ જિલ્લામાં ત્રાહિમામ મચી ગયો છે. રવિવારે ઉત્તરકાશીના મોરી બ્લોકમાં વાદળ ફાટ્યા બાદ 20 લોકો ગુમ થયા હતા, જેમાંથી 15 લોકોના મૃતદેહો મળી આવી છે. 5 લોકો હજી ગુમ છે. તેમને શોધવા માટે હજી પ્રત્યનો ચાલુ છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર, દેવેન્દ્ર પટવાલે જણાવ્યું હતું કે જુદા જુદા સ્થળોએથી લોકો ગુમ થયાના અહેવાલો આવી રહ્યા છે. જો કોઈને તેના વિશે કોઈ માહિતી મળે, તો તેઓએ મોરી પોલીસને તેના વિશે જાણ કરવા વિનંતી છે.
Uttarkashi's Disaster Management officer, Devendra Patwal: Reports of people missing have been coming in. If anyone gets any information about it, they are requested to inform Mori police about the same. https://t.co/uKh19Fuz4h
— ANI (@ANI) August 21, 2019
આપને જણાવી દઈએ કે ઉત્તરકાશી, લાંબગર, બાગેશ્વર, ચમોલી અને ટિહરીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારે વરસાદને કારણે શાળા-કોલેજો બંધ છે. હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી એસએ મુરુગેસને જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદને કારણે ઉત્તરાખંડમાં ઘણા સ્થળોએ વાદળ ફાટવા અને ભૂસ્ખલનથી 22 લોકો લાપતા થયા છે.
આ પણ વાંચો: Delhi Flood Alert: ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યુ યમુનાનુ જળ સ્તર, હેલ્પલાઈન નંબર જારી કરાયા