Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઉત્તરાખંડઃ ભૂખથી મરી રહ્યાં છે લોકો, અધિકારીઓ દ્વારા 'શાહી ભોજન'

દહેરાદૂન, 27 જૂનઃ ઉત્તરાખંડમાં કૂદરતી કહેરએ વિનાશ નોતર્યો છે. હજારોની સંખ્યામાં લોકોના મોત નીપજ્યાં છે, હજારોની સંખ્યામાં હજુ પણ લોકો ફસાયેલા છે. આફતમાં ફસાયેલા લોકો પાણીના એક ટીપાં માટે તરસી રહ્યાં છે. ખાવા માટે અન્નનો એક દાણો નથી. માટી, જંગલી ફળ અને ઘાસ ખાઇને લોકો જેમ-તેમ કરીને જીવી રહ્યાં છે, પરંતુ સરકારના સચિવાલયમાં બનેલા આફત ન્યૂનીકરણ અને પ્રબંધન કેન્દ્રના આફત રાહત અને સૂચના કેન્દ્રના કર્મચારીઓ 'શાહી ભોજન'નો લુત્ફ ઉઠાવી રહ્યાં છે. એસી રૂમોમાં બેસીને અધિકારી શહેરના નામી રેસ્ટોરાંમાં ઓર્ડર બુક કરી પોતાની મરજીનું ભોજન મંગાવી રહ્યાં છે.

આફત બાદ ઘાટી સહિત બીજા સ્થળોમાં ફસાયેલા લોકો પાણી માટે તરસી રહ્યાં છે. બીજી તરફ રાહત શિબિરોમાં દાળ-ભાતથી વધારે કંઇ નથી, પરંતુ તેનાથી અધિકારીઓને શું લેવા-દેવા, તેમને તો તેમની મરજી અનુસાર રહેવું છે.

uttarakhand-flood-relief
જ્યાં આખું ઉત્તરાખંડ સહિત સમગ્ર દેશ આ વિનાશની પહોંચી વળવા અને લોકોને બચાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે, બીજી તરફ આફત પ્રબંધનના અધિકારી પોતાના શાહી ભોજનમાં લાગેલા છે. એટલું જ નહીં શાહી ભોજન ઉપરાંત ઓફિસમાં મનોરંજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઓફિસમાં બે મોટા ટીવી સ્ક્રિન લગાવવામાં આવ્યા છે, જેથી સમાચાર ચેનલો થકી આફત અધિકારી પલ-પલની જાણકારી મેળવી શકે. પરંતુ સમાચારના બદલે ટીવી પર ફિલ્મો અને ગીતો વાગી રહ્યાં છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X