ઉત્તરાખંડ : કેદારનાથ મંદિરમાં થોડા દિવસોમાં પૂજા શરૂ કરાશે

કેદારનાથ મંદિરમાં પૂજા ક્યારથી શરૂ કરવી તે અંગેનો નિર્ણય શુક્રવારે યોજાયેલી મંદિર સમિતીના સભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ અંગે સમિતીના ચેરમેન ગણેશ ગોડિયાલે જણાવ્યું કે જુલાઇ મહિનાના મધ્યમાં જ મંદિરમાં સંપૂર્ણ શાસ્ત્રોક નિયમો અને રીતરીવાજો અનુસાર પૂજા વિધિ શરૂ કરવામાં આવશે.
ગોડિયાલે એમ પણ જણાવ્યું કે હાલમાં કેદારનાથ મંદિરથી 50 કિલોમીટર દૂર આવેલા ઉખીમઠમાં, જ્યાં શિયાળામાં કેદારનાથ ભગવાનની પૂજા કરવામાં આવે છે, ત્યાં રોજબરોજની પૂજા કરવામાં આવી રહી છે. કેદારનાથ મૂળ મંદિરના શુદ્ધિકરણનું કામ શરૂ થઇ ગયું છે. આવનારા થોડા દિવસોમાં પૂજા વિધિનો પણ આરંભ કરવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે કેદારનાથ મંદિર પાસે લાશોની ભરમાર લાગી હતી. આ કારણે મંદિર પરિસરને સાફ કરવાનું ખૂબ જરૂરી હતું. અમારા સેવક મંદિર અને તેની આસપાસના વિસ્તારને સાફ કરવામાં જોડાયેલા છે. જો કે વરસાદને કારણે સમગ્ર કાર્ય ધીમી ગતિથી ચાલી રહ્યું છે. આગામી સાત આઠ દિવસમાં મંદિરનું શુદ્ધિકરણનું કામ પૂરું થઇ જશે.
બીજી તરફ ઉત્તરાખંડ સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ઉત્તરાખંડ આફતમાં ગુમ થયેલા લોકો જો 15 જુલાઇ સુધીમાં મળશે નહીં તો તેમને મૃત સમજી લેવામાં આવશે.
-
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત







Click it and Unblock the Notifications
