Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Uttarakhand Tunnel Rescue LIVE : ટનલમાં ફસાયેલા તમામ 41 મજુરોને બહાર કાઢવામાં આવ્યા, ઠેર-ઠેર ઉજવણીનો માહોલ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં છેલ્લા 17 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવાનું મિશન હવે અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે. ગમે ત્યારે કામદારો બહાર આવી શકે છે. કામદારોના પરિવારજનોને પણ ટનલ પાસે બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુરંગમાંથી બહાર આવતાની સાથે જ કામદારોની પ્રારંભિક તબીબી તપાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પછી તમામ મજૂરોને એમ્બ્યુલન્સ દ્વારા ચિન્યાલીસૌરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવશે. અહીં તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ઉત્તરાખંડના આ મોટા રેસ્ક્યુ ઓપરેશનની તમામ લાઇવ અપડેટ માટે અહીં જોડાયેલા રહો.

Uttarakhand Tunnel Rescue LIVE

Nov 28, 2023, 9:11 pm IST

ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરનારી - પીએમ મોદી

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર કહ્યું આ પ્રેરણાદાયી છે. હું તમારા બધાના સારા સ્વાસ્થ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરું છું. તે ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા પછી આ મિત્રો તેમના પ્રિયજનોને મળશે.
Nov 28, 2023, 9:00 pm IST

ધૈર્ય, પરિશ્રમ અને વિશ્વાસનો વિજય –પુષ્કરસિંહ ધામી

સીએમ ધામીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, ધીરજ, મહેનત અને વિશ્વાસની જીત થઈ છે.
Nov 28, 2023, 8:57 pm IST

ઓપરેશનની સફળતા માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખુશી વ્યક્ત કરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મજુરોને બચાવી લેવાતા ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હું ખુશ છું કારણ કે સિલ્ક્યારા ટનલ દુર્ઘટનામાં ફસાયેલા 41 મજૂરોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે.
Nov 28, 2023, 8:52 pm IST

ટનલમાં ફસાયેલા તમામ 41 મજુરોને સફળતાપુર્વક બહાર કઢાયા

ટનલની અંદર ફસાયેલા તમામ 41 કામદારો સફળતાપૂર્વક બહાર આવ્યા, ઘણી જગ્યાઓએ ઉજવણીનો માહોલ
Nov 28, 2023, 8:46 pm IST

41 કામદારોમાંથી 35 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા

સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોમાંથી 35 કામદારોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા. સિલ્ક્યારા ટનલ સાઇટ પરથી એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી. અન્ય કામદારોને બહાર લવાઈ રહ્યા છે.
Nov 28, 2023, 8:35 pm IST

33 મજુરોને ટનલમાંથી બહાર લાવવામાં આવ્યા

સિલ્ક્યારા ટનલમાં અંદર ફસાયેલા 41 મજુરોમાંથી 33ને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે. ત્યાં બનાવવામાં આવેલા અસ્થાયી મેડિકલ કેમ્પમાં તમામ મજુરોની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
Nov 28, 2023, 8:22 pm IST

ઓપરેશનમાં એક કલાક જેવો સમય લાગશે

તમામ મજુરોને બહાર લાવવામાં એક કલાક જેવો સમય લાગશે
Nov 28, 2023, 8:20 pm IST

વધુ 5 મજુરો ટનલમાંથી બહાર આવ્યા

વધુ 5 મજુરો ટનલમાંથી બહાર આવ્યા, કુલ 10 મજુરોને બહાર કઢાયા, અન્યને બહાર લવાઈ રહ્યા છે
Nov 28, 2023, 8:15 pm IST

ટનલમાંથી 5 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા. બાકીનાને પણ એક પછી એક બહાર કાઢવામાં આવી રહ્યા છે. NDRFની ત્રણ ટીમ ટનલની અંદર હાજર
Nov 28, 2023, 8:14 pm IST

સિલ્ક્યારા ટનલમાંથી 5 મજુરો બહાર આવ્યા

સિલ્ક્યારા ટનલમાંથી 5 મજુરો બહાર આવ્યા, તમામની તબિયત એકદમ ઠીક
Nov 28, 2023, 7:51 pm IST

બચાવ કામગીરીમાં પુરી રાત લાગી શકે છે

સિલ્કિયારા રેસ્ક્યુ ઓપરેશનમાં હજુ સમય લાગી રહ્યો છે. અહેવાલો અનુસાર, લાઇફલાઇન પાઇપ અલગથી નાખવામાં આવી રહી છે.
Nov 28, 2023, 7:44 pm IST

મમતા બેનર્જીએ એક ટીમ ઉત્તરકાશી મોકલી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મજુરોને વતન પરત લાવવામાં મદદ કરવા માટે દિલ્હી નિવાસી કમિશનર ઓફિસના અધિકારી રાજદીપ દત્તાની આગેવાની હેઠળ એક ટીમ ઉત્તરકાશી મોકલી છે.
Nov 28, 2023, 7:43 pm IST

બચાવ અભિયાન અંતિમ તબક્કામાં

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા મજુરોને બહાર લાવવા માટેનું અભિયાન તેજ, જલ્દી બહાર આવી શકે છે મજુરો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X