પુલ તૂટી પડતા નદીમાં તણાયા વાહનો, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
ઉત્તરાખંડમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રાણીપોખરી-ઋષિકેશ હાઈવે પરનો રાણીપોખરી પુલ તૂટી પડ્યો હતો. આ પુલ જખાણ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો.
દેહરાદૂન : ઉત્તરાખંડમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રાણીપોખરી-ઋષિકેશ હાઈવે પરનો રાણીપોખરી પુલ તૂટી પડ્યો હતો. આ પુલ જખાણ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. પુલ તૂટી પડવાના કારણે તેની પરથી પસાર થતા ઘણા વાહનો નદીમાં પડી ગયા હતા.

આ ઘટનામાં હજૂ સુધી કોઈ જાનહાનિનાસમાચાર નોંધાયા નથી. આવા સમયે દહેરાદૂનના DM આર રાજેશ કુમારે જણાવ્યું હતું કે, આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

ઘણા વાહનો પણ નદીમાં સમાયા
રાણીપોઘારી-ઋષિકેશ હાઇવે પર અકસ્માત થયો હતો, તે સમયે પુલ પર અનેક વાહનો હાજર હતા. જખાન નદીમાં રાણીપોઘરી પુલ તૂટી પડવાને કારણે તેના પરના વાહનો પણ પડી ગયા હતા. પુલ પર બે લોડર અને એક કાર હાજર હતા. આ અકસ્માતમાં એક યુવાન ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાણીપોખરી બ્રિજ પર અનેક વાહનો દેખાઈ રહ્યા છે.
#WATCH | A bridge at Jakhan river on Ranipokhari-Rishikesh highway collapses in Dehradun, Uttarakhand
— ANI (@ANI) August 27, 2021
District Magistrate R Rajesh Kumar says traffic on the route has been halted. pic.twitter.com/0VyccMrUky
તે જ સમયે એક યુવાન તૂટેલા પુલ પરથી ભાગતો જોવા મળે છે. પુલ તૂટી પડવાની માહિતી મળતા પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતને કારણે દહેરાદૂનથી ઋષિકેશ તરફનો મુખ્ય માર્ગ બંધ થઇ ગયો છે.

દેહરાદૂન-ઋષિકેશ રોડ બંધ
દેહરાદૂન DM આર રાજેશ કુમારે કહ્યું કે, આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રેનને દેહરાદૂનથી નેપાળી ફાર્મ તરફ ડાયવર્ટ કરીને ઋષિકેશ મોકલવામાં આવી રહી છે. DM એ કહ્યું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની રેસ્ક્યુ અને ડાઇવિંગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. SDRFની ટીમે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.

UK CMએ આપ્યા તપાસના આદેશ
ઉતરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાણીપોઘરી પાસે પુલ તૂટી પડવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે પુલ કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો અને કારોબારી સંસ્થા કોણ છે તે જોવામાં આવશે.

-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
