પુલ તૂટી પડતા નદીમાં તણાયા વાહનો, મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
ઉત્તરાખંડમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રાણીપોખરી-ઋષિકેશ હાઈવે પરનો રાણીપોખરી પુલ તૂટી પડ્યો હતો. આ પુલ જખાણ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો.
દેહરાદૂન : ઉત્તરાખંડમાં છેલ્લા 48 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ભારે વિનાશ સર્જાયો છે. ભારે વરસાદને કારણે રાણીપોખરી-ઋષિકેશ હાઈવે પરનો રાણીપોખરી પુલ તૂટી પડ્યો હતો. આ પુલ જખાણ નદી ઉપર બનાવવામાં આવ્યો હતો. પુલ તૂટી પડવાના કારણે તેની પરથી પસાર થતા ઘણા વાહનો નદીમાં પડી ગયા હતા.

આ ઘટનામાં હજૂ સુધી કોઈ જાનહાનિનાસમાચાર નોંધાયા નથી. આવા સમયે દહેરાદૂનના DM આર રાજેશ કુમારે જણાવ્યું હતું કે, આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

ઘણા વાહનો પણ નદીમાં સમાયા
રાણીપોઘારી-ઋષિકેશ હાઇવે પર અકસ્માત થયો હતો, તે સમયે પુલ પર અનેક વાહનો હાજર હતા. જખાન નદીમાં રાણીપોઘરી પુલ તૂટી પડવાને કારણે તેના પરના વાહનો પણ પડી ગયા હતા. પુલ પર બે લોડર અને એક કાર હાજર હતા. આ અકસ્માતમાં એક યુવાન ઘાયલ થયો હતો, જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાણીપોખરી બ્રિજ પર અનેક વાહનો દેખાઈ રહ્યા છે.
#WATCH | A bridge at Jakhan river on Ranipokhari-Rishikesh highway collapses in Dehradun, Uttarakhand
— ANI (@ANI) August 27, 2021
District Magistrate R Rajesh Kumar says traffic on the route has been halted. pic.twitter.com/0VyccMrUky
તે જ સમયે એક યુવાન તૂટેલા પુલ પરથી ભાગતો જોવા મળે છે. પુલ તૂટી પડવાની માહિતી મળતા પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતને કારણે દહેરાદૂનથી ઋષિકેશ તરફનો મુખ્ય માર્ગ બંધ થઇ ગયો છે.

દેહરાદૂન-ઋષિકેશ રોડ બંધ
દેહરાદૂન DM આર રાજેશ કુમારે કહ્યું કે, આ માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રેનને દેહરાદૂનથી નેપાળી ફાર્મ તરફ ડાયવર્ટ કરીને ઋષિકેશ મોકલવામાં આવી રહી છે. DM એ કહ્યું કે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની રેસ્ક્યુ અને ડાઇવિંગ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. SDRFની ટીમે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી છે.

UK CMએ આપ્યા તપાસના આદેશ
ઉતરાખંડ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રાણીપોઘરી પાસે પુલ તૂટી પડવાની ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે પુલ કોણે બનાવ્યો, ક્યારે બનાવ્યો અને કારોબારી સંસ્થા કોણ છે તે જોવામાં આવશે.

-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
