જર્મન બેકરી બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો આવશે !
નવી દિલ્હી, 15 એપ્રિલ: 13 ફેબ્રુઆરી 2010માં પુણેના જર્મન બેકરીમાં થયેલા બ્લાસ્ટ કેસમાં સોમવારે કોઇ ચુકાદો આવી શકે છે. આ બ્લાસ્ટમાં 17 લોકોના મોત નિપજ્યાં હતા, જ્યારે 65 લોકો ઘાયલ થયા હતા. આ કેસનો મુખ્ય આરોપી હિમાયત બેગની ધરપકડ થઇ ગઇ છે પરંતુ હુમલાના અન્ય બે આરોપી હજુ સુધી ફરાર છે.
આ હુમલામાં અન્ય બે આરોપીઓમાંથી એક છે હમજા જે પુણે હુમલા ઉપરાંત અન્ય કેસમાં જોડાયેલો છે. હમજા વિશે કહેવામાં આવે છે કે તે મુંબઇ હુમલામાં સાથે પણ જોડાયેલ છે. તેને મુંબઇ હુમલાના માહિતી હતી. તેને લીધે તેને મુંબઇ હુમલાનું કાવતરું ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત 19 સપ્ટેમ્બરમાં દિલ્હીની જામા મસ્જિદ પાસે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હતો.

જો કે બોમ્બ ફૂટ્યો ન હતો, પરંતુ તેનો માસ્ટરમાઇન્ડ પણ હમજા જ હતો, 9 મે 2006ના રોજ મહારાષ્ટ્રના ઔરાંગાબાદમાં પોલીસે એક કાવતરાના નિષ્ફળ કર્યું હતું. જેમાં 10 એકે-47 રાઇફલો ઝડપી પાડી હતી. આ કાવતરાને પણ હમજા અંજામ આપવાનો હતો.












Click it and Unblock the Notifications
