રામ મંદિર નિર્માણ મુદ્દે 18 ઓક્ટોબરે અયોધ્યામાં વિહિપની જનસભા

આ અંગે રાજકોટ આવેલા વિહિુપના સંગઠન મંત્રી રોહિત દરજીએ જણાવ્યું કે રામ જન્મભૂમિ પર રામમંદિર નિર્માણ હિન્દુઓની શ્રધ્ધા અને સંકલ્પ છે. આગામી 18 ઓકટોબરે શરદ પૂર્ણિમાના દિવસે અયોધ્યામાં ઉત્તરપ્રદેશ વિસ્તારના હિન્દુઓની જંગી જાહેરસભા થશે જેને પરિષદ અને ધર્મક્ષેત્રના નેતાઓ સંબોધન કરશે. તે જ દિવસે દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 50 હજાર જેટલી શાખાઓમાં મંદિર નિર્માણના સંકલ્પ સાથે આરાધ્ય દેવ પ્રત્યેની પ્રતિબધ્ધતા વ્યકત કરવામાં આવશે.
આ કાર્યક્રમ પહેલા નવરાત્રિમાં દુર્ગાવાહિનીની બહેનો દ્વારા મંદિર નિર્માણ અને હિન્દુ શકિતની તાકાત વધારવા ઠેર-ઠેર ચંદીપાઠ કરવામાં આવશે. દર છ મહિને ભાવિ કાર્યક્રમો નક્કી કરવા વિહિપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક મળે છે. આ વખતે આ બેઠક ગુજરાતમાં સુરત ખાતે 29 ડિસેમ્બર 2013થી 2 જાન્યુઆરી 2014 સુધી મળવાની છે. જેમાં પરિષદના દેશભરના અગ્રણીઓ વિચારવિમર્શના અંતે મહત્વના નિર્ણયો લેશે.












Click it and Unblock the Notifications
