Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રામ મંદિર નિર્માણ મુદ્દે 18 ઓક્ટોબરે અયોધ્યામાં વિહિપની જનસભા

ram-mandir
અયોધ્યા , 2 સપ્ટેમ્બર : વિશ્વ હિન્‍દુ પરિષદ દ્વારા ફરી એકવાર અયોધ્‍યામાં રામ જન્‍મ ભૂમિ ખાતે રામ મંદિર નિર્માણ માટે જનઆંદોલન આગળ વધારવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. વિશ્વ હિન્દુ પરિષદ હવે શરદ પૂર્ણિમાના દિવસથી એટલે કે 18 ઓક્ટોબરથી પોતાનું આંદોલન ફરી આક્રમક બનાવશે આ કાર્યક્રમ બાદ ડિસેમ્‍બરના પ્રારંભમાં ગુજરાતના સુરત ખાતે પરિષદની રાષ્ટ્રીય કારોબારીમાં આગળના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.

આ અંગે રાજકોટ આવેલા વિહિુપના સંગઠન મંત્રી રોહિત દરજીએ જણાવ્યું કે રામ જન્‍મભૂમિ પર રામમંદિર નિર્માણ હિન્‍દુઓની શ્રધ્‍ધા અને સંકલ્‍પ છે. આગામી 18 ઓકટોબરે શરદ પૂર્ણિમાના દિવસે અયોધ્‍યામાં ઉત્તરપ્રદેશ વિસ્‍તારના હિન્‍દુઓની જંગી જાહેરસભા થશે જેને પરિષદ અને ધર્મક્ષેત્રના નેતાઓ સંબોધન કરશે. તે જ દિવસે દેશભરમાં રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘની 50 હજાર જેટલી શાખાઓમાં મંદિર નિર્માણના સંકલ્‍પ સાથે આરાધ્‍ય દેવ પ્રત્‍યેની પ્રતિબધ્‍ધતા વ્‍યકત કરવામાં આવશે.

આ કાર્યક્રમ પહેલા નવરાત્રિમાં દુર્ગાવાહિનીની બહેનો દ્વારા મંદિર નિર્માણ અને હિન્‍દુ શકિતની તાકાત વધારવા ઠેર-ઠેર ચંદીપાઠ કરવામાં આવશે. દર છ મહિને ભાવિ કાર્યક્રમો નક્કી કરવા વિહિપની રાષ્‍ટ્રીય કાર્યકારીણીની બેઠક મળે છે. આ વખતે આ બેઠક ગુજરાતમાં સુરત ખાતે 29 ડિસેમ્બર 2013થી 2 જાન્યુઆરી 2014 સુધી મળવાની છે. જેમાં પરિષદના દેશભરના અગ્રણીઓ વિચારવિમર્શના અંતે મહત્‍વના નિર્ણયો લેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X