કોણ બનશે ઉપરાષ્ટ્રપતિ? NDAના આ બે દિગ્ગજ નેતાઓને સોંપી ઉમેદવાર પસંદ કરવાની મોટી જવાબદારી
Vice President Next: કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે NDAએ PM નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ JP નડ્ડાને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પસંદ કરવાનો અધિકાર આપ્યો છે. સંસદીય કાર્ય મંત્રીએ કહ્યું કે આ નિર્ણય સર્વસમ્મતિથી લેવામાં આવ્યો છે.

NDA નેતાઓની બેઠક મળી
સંસદ પરિસરમાં ભાજપના નેતાઓ અને તેમની સહયોગીઓની એક બેઠક મળી હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં જેપી નડ્ડા સિવાય કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને અમિત શાહ, JDUના લલન સિંહ, શિવસેનાના શ્રીકાંત શિંદે, TDPના લવૂ શ્રીકૃષ્ણ દેવરાયલુ અને LJP (રામવિલાસ)ના ચિરાગ પાસવાન પણ સામેલ થયા હતા. રાજનાથ સિંહે બેઠકની અધ્યક્ષતા કરી હતી.
#WATCH | Delhi | Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "Special Intensive Revision (SIR) of Electoral Rolls has happened numerous times...In Maharashtra, the same electoral rolls when the Congress party and its allies won a majority of the seats in the Lok… pic.twitter.com/FwCbtfKAJ7
— ANI (@ANI) August 7, 2025
9 સપ્ટેમ્બરે થશે મતદાન
જગદીપ ધનખડના રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપદિ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ પદ માટે ભારતીય ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમનું નોટિફિકેશન જાહેર કર્યું છે.9 સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન યોજાશે અને મતગણતરી પણ આ દિવસે જ યોજાશે. મતદાન 9 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી થશે.
ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ: 21 ઓગસ્ટ
નામાંકનની ચકાસણી: 22 ઓગસ્ટ
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 25 ઓગસ્ટ
મતદાન અને ગણતરી: 9 સપ્ટેમ્બર
કોની પાસે કેટલી તાકાત?
NDA પાસે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત માટે જરૂરી સંખ્યા કરતા વધારે સમર્થન છે. સંસદના બન્ને સદન લોકસભા અને રાજ્યસભામાં NDAના કૂલ 457 કરતા વધારે સાંસદ છે જેમાં ભાજપના 240 લોકસભામાં અને 99 રાજ્યસભાના સાંસદોની સાથે તેમના સહયોગી પક્ષના સભ્ય પણ સામેલ છે. ચૂંટણીમાં વોટ માત્ર સાંસદ જ નાખે છે અને કૂલ લગભગ 788 સાંસદ વોટિંગના પાત્ર હોય છે. બહુમત માટે 395 વોટની જરૂર પડે છે જ્યારે NDA તેના કરતા વધારે આગળ છે. જોકે, BJD, YSR કોંગ્રેસ અને BRS જેવા પક્ષ કોઇ જૂથ સાથે જોડાયેલા નથી પરંતુ આ પક્ષ ગત વર્ષોમાં સતત સરકારનો સાથ આપતા આવ્યા છે. એવામાં NDAનો દાવો મજબૂત બને છે.
જગદીપ ધનખડના રાજીનામા બાદ ખાલી પડી જગ્યા
21 જુલાઈના રોજ, સ્વાસ્થ્યના કારણોસર, જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના પછી દેશનું બીજું સૌથી મહત્ત્વપૂર્ણ બંધારણીય પદ ખાલી છે. ધનખડનો કાર્યકાળ ઓગસ્ટ 2027માં સમાપ્ત થવાનો હતો. બંધારણીય જોગવાઈઓ અનુસાર, મધ્ય-સત્ર ચૂંટણીઓની સ્થિતિમાં, આ પદ સંભાળનાર વ્યક્તિને 5 વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ મળે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
