Video: મરાઠા આરક્ષણ આંદોલનકારીઓએ NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેનું ઘર ફુંક્યુ, જાણો MLAની હાલત
Maratha Reservation Movement : મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલનની આગ સતત વધી રહી છે. મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા આંદોલનકારીઓ હવે હિંસક બની ગયા છે.
આંદોલનકારીઓએ બીડમાં એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેના નિવાસસ્થાને તોડફોડ કરી અને આગ લગાવી દીધી હતી. થોડી જ વારમાં આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ અને તેની જ્વાળાઓ ઉંચી ઉંચી થવા લાગી હતી.

આગની આ ઘટના બાદ એનસીપીના ધારાસભ્ય પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે, જ્યારે હુમલો થયો, ત્યારે હું મારા ઘરની અંદર હતો.
સદનસીબે મારા પરિવારના સભ્યો કે કર્મચારીઓમાંથી કોઈને ઈજા થઈ નથી. અમે બધા સુરક્ષિત છીએ, પરંતુ આગને કારણે મોટી સંપત્તિનું નુકસાન થયું છે.
મરાઠાઓને અલગથી અનામત આપવી જોઈએ: ભાજપ સાંસદ - આ પહેલા શનિવારે 28 ઓક્ટોબરના રોજ તેલી મહાસંઘના બેનર હેઠળ યોજાયેલી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારે મરાઠાઓને ઓબીસી સમુદાયને આપવામાં આવેલા આરક્ષણથી અલગથી અનામત આપવી જોઈએ. તેમણે કહ્યું કે, ઓબીસી સમુદાયને ડર છે કે, મરાઠાઓને ઓબીસી ક્વોટામાંથી અનામત આપવામાં આવી શકે છે.
મરાઠા આરક્ષણને લઈને તેલી સમુદાયમાં ભય છે - તેમણે જણાવ્યું હતું કે, જેને અનામત મળવાની છે તેને મળવી જોઈએ. મરાઠા સમાજને અલગથી અનામત મળવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના સાંસદ રામદાસ તડસ તેલી મહાસંઘના પ્રમુખ છે.
તેલી સમાજના આગેવાનોનું કહેવું છે કે, ઓબીસી સમુદાયને આપવામાં આવેલા આરક્ષણમાંથી મરાઠાઓને અનામત ન આપવી જોઈએ. સાંસદ રામદાસ તડસે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ ઘણી વખત આશ્વાસન આપ્યું છે કે, મરાઠાઓને અનામત આપવામાં આવશે, પરંતુ મનોજ જરાંગે પાટીલ ઉપવાસ તોડવાનું નામ નથી લઈ રહ્યા. એવું લાગે છે કે, જાણે કોઈ રાજકીય પક્ષ તેમને ટેકો આપી રહ્યો છે.
મનોજ જરંગે પાટીલે પણ આપી હતી ચેતવણી - આ અગાઉ મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે શનિવારે 14 ઓક્ટોબરના રોજ જાલના જિલ્લામાં રેલીનું આયોજન કરતી વખતે શિંદે સરકારને 10 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેલીમાં તેમણે જાહેરાત કરી હતી કે, 10 દિવસ બાદ અથવા તો વિજય સરઘસ નીકળશે અથવા તેમની અંતિમ યાત્રા નીકળશે. આ પછી મુંબઈમાં એક આંદોલનકારીએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.
#WATCH | Beed, Maharashtra: Maratha reservation agitators vandalised and set the residence of NCP MLA Prakash Solanke on fire. pic.twitter.com/8uAfmGbNCI
— ANI (@ANI) October 30, 2023
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
