Video: સંજય નિરુપમે પીએમ મોદીને ગણાવ્યા ઔરંગઝેબ, વારાણસીમાં તોડાવ્યા મંદિર
પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ છે કોંગ્રેસ નેતા સંજય નિરુપમે જેમણે પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી છે.
લોકસભા ચૂંટણી 2019ના હવે માત્ર બે તબક્કા બચ્યા છે, 23 મેના રોજ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આગામી સરકાર કોની બનવાની છે પરંતુ જ્યાં એક તરફ પારાનું સ્તર ચરમ સીમા પર છે તેનાથી ઘણી વધુ નેતાઓની જીભ ચાલી રહી છે. લોકો વિવાદિત નિવેદન આપવાનુ છોડી નથી રહ્યા. મમતા બેનર્જી અને પ્રિયંકા ગાંધી બાદ હવે પીએમ મોદી પર વિવાદિત નિવેદન આપ્યુ છે કોંગ્રેસ નેતા સંજય નિરુપમે જેમણે પીએમ મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી છે.

બનારસમાં મીડિયા સાથે વાત કરતા સંજય નિરુપમે કહ્યુ કે બનારસના લોકોએ જે વ્યક્તિને પસંદ કર્યા છે તે ઔરંગઝેબના આધુનિક અવતાર છે કારણકે બનારસમાં કૉરિડોરના નામે સેંકડો મંદિરોને તોડાવ્યા. તેમણે કહ્યુ કે વિશ્વનાથ મંદિરમાં દર્શનના નામ પર 550 રૂપિયાની જે ફી લગાવવામાં આવી છે તે એ વાતનો પુરાવો છે કે જે કામ ઔરંગઝેબ ના કરી શક્યો તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે, ભાજપવાળા રોજ નવા જૂઠ બોલે છે અને પછી તેનો જોરશોરથી પ્રચાર કરવા લાગી જાય છે.
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ગણાવ્યા દૂર્યોધન
સંજય નિરુપમે પ્રિયંકા ગાંધીના એ નિવેદનને પણ સાચુ ગણાવ્યુ જેમાં તેમણે પીએમ મોદીની તુલા દૂર્યોધન સાથે કરી હતી. સંજયે કહ્યુ કે પ્રિયંકાજીએ જે કહ્યુ છે તે સાચુ છે, હું તો મોદીને ઔરંગઝેબ કહી રહ્યો છુ અને હું આ એક નહિ વારંવાર કહીશુ. તમને જણાવી દઈએ કે હરિયાણાના અંબાલાની રેલીમાં પ્રિયકા ગાંધીએ કહ્યુ હતુ કે મોદી, દૂર્યોધનની જેમ અહંકારી છે, દેશે અહંકારને ક્યારેય માફ નથી કર્યો, આવો અહંકાર દૂર્યોધનમાં પણ હતો, જ્યારે ભગવાન કૃષ્ણ તેમને સમજાવવા ગયા તો તેમને પણ દૂર્યોધને બંધક બનાવવાની કોશિશ કરી, દિનકરજીની પંક્તિઓ છે - 'જબ નાશ મનુજ પર છાતા હે, પહેલે વિવેક મર જાતા હે.'
#WATCH Sanjay Nirupam, Congress, in Varanasi: I feel that the person that people here have chosen- that Narendra Modi is actually the modern incarnation of Aurangzeb. (07.05.2019) pic.twitter.com/u6x0UsgU3D
— ANI UP (@ANINewsUP) 8 May 2019
સર્જીકલ સ્ટ્રાઈકના દાવા પર ભડક્યા
વાસ્તવમાં એક આરટીઆઈમાં ખુલાસો થયો કે યુપીએ સરકારમાં કોઈ સર્જીકલ સ્ટ્રાઈક નહોતી થઈ, આના પર સંજય નિરુપમ ભડકી ગયા અને ભાજપને ખૂબ કોસ્યુ. તેમણે કહ્યુ કે આ ભાજપનો દુષ્પ્રચાર છે, આ સ્ટ્રાઈકની સેનાના મોટા અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે.
રાજીવ ગાંધીનું નામ વચ્ચે લાવવા પર પણ ભડક્યા નિરુપમ
સંજય નિરુપમે કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને જે દિવસે પીએમ મોદીએ અપશબ્દ કહ્યા તે દિવસથી સ્મૃતિ ઈરાનીને અમેઠીમાં અઢી લાખ મતોથી હરાવવાનો જુગાડ કરી દીધો છે. તેમણે પડકાર આપ્યો કે રાજીવના નામ પર ચૂટણી લડી લો, બાકીની સીટો પણ ભાજપ હારી જશે. ઉલ્લેખનીય છે કે એક રેલીમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે રાજીવ ગાંધી મિસ્ટર ક્લીનની ઈમેજ સાથે રાજકારણમાં આવ્યા હતા પરંતુ ભ્રષ્ટાચારી નંબર વન તરીકે તેમનો જીવનકાળ સમાપ્ત થયો, ત્યારબાદ રાજકીય હોબાળો મચી ગયો છે, કોંગ્રેસ તરફથી મોદીની આ વાત માટે ઘણી ટીકા થઈ રહી છે, માત્ર કોંગ્રેસ જ નહિ પરંતુ આપ પાર્ટી તરફથી આ મુદ્દે પીએમ મોદીની આકરી નિંદા કરવામાં આવી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
