માત્ર સાડા ત્રણ કલાકમાં બિન્નીના અનશન ખતમ
નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ આમ આદમી પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવેલા ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ પોતાના અમર્યાદિત અનશન ખતમ કરી દીધા છે. માત્ર અમુક કલાકોમાં જ બિન્નીએ પોતાના અનશન ખતમ કરી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. ‘આપ'ના ધારાસભ્ય બિન્નીએ ધરણા ખતમ કરતા કહ્યું કે, મે દિલ્હી સરકારને 10 દિવસ સુધીનો સમય આપ્યો છે. અનશન ખતમ કરતાની સાથે જ બિન્નીએ કહ્યું કે, મે અણ્ણા હઝારેના કહેવાથી પોતાના અનશન ખતમ કર્યા છે.

નોંધનીય છે કે પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા બાદ બિન્નીએ આમ આદમી પાર્ટીની પોલ ખોલીને રાખી દીધી હતી. બિન્નીએ કેજરીવાલ અને તેમની સરકાર દ્વારા વાયદા તોડવાનો આરોપ લગાવ્યો અને કાર્યવાહી કરવાની માંગ કરી. બિન્નીએ કહ્યું કે, જનતાને પૂછીને કામ કરનારા કેજરીવાલે મને પાર્ટીમાંથી બહાર કરતા પહેલા જનતાની સલાહ લેવી જોઇતી હતી.












Click it and Unblock the Notifications
