માત્ર સાડા ત્રણ કલાકમાં બિન્નીના અનશન ખતમ
નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ આમ આદમી પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવેલા ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ પોતાના અમર્યાદિત અનશન ખતમ કરી દીધા છે. માત્ર અમુક કલાકોમાં જ બિન્નીએ પોતાના અનશન ખતમ કરી દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારને 10 દિવસનો સમય આપ્યો છે. ‘આપ'ના ધારાસભ્ય બિન્નીએ ધરણા ખતમ કરતા કહ્યું કે, મે દિલ્હી સરકારને 10 દિવસ સુધીનો સમય આપ્યો છે. અનશન ખતમ કરતાની સાથે જ બિન્નીએ કહ્યું કે, મે અણ્ણા હઝારેના કહેવાથી પોતાના અનશન ખતમ કર્યા છે.

નોંધનીય છે કે પાર્ટીમાંથી બહાર કરવામાં આવ્યા બાદ બિન્નીએ આમ આદમી પાર્ટીની પોલ ખોલીને રાખી દીધી હતી. બિન્નીએ કેજરીવાલ અને તેમની સરકાર દ્વારા વાયદા તોડવાનો આરોપ લગાવ્યો અને કાર્યવાહી કરવાની માંગ કરી. બિન્નીએ કહ્યું કે, જનતાને પૂછીને કામ કરનારા કેજરીવાલે મને પાર્ટીમાંથી બહાર કરતા પહેલા જનતાની સલાહ લેવી જોઇતી હતી.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
