ચીન સાથે યુદ્ધ? ભારત-ચીને સરહદ પર સૈનિકો કેમ ખડક્યા?
ગયા વર્ષે જૂનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખમાં ભીષણ અથડામણ થઈ હતી, ત્યારબાદ બંને દેશો વચ્ચે વિવાદ એટલો વધી ગયો છે કે, બંને દેશોએ મોટી સંખ્યામાં મેં એલએસી પર સૈનિકો મોકલવાનું શરૂ કર્યું છે.
નવી દિલ્હી, 04 ઓક્ટોબર : ગયા વર્ષે જૂનમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખમાં ભીષણ અથડામણ થઈ હતી, ત્યારબાદ બંને દેશો વચ્ચે વિવાદ એટલો વધી ગયો છે કે, બંને દેશોએ મોટી સંખ્યામાં મેં એલએસી પર સૈનિકો મોકલવાનું શરૂ કર્યું છે. આશંકા છે કે ફરી એકવાર ભારત અને ચીન વચ્ચે તણાવ નોંધપાત્ર રીતે વધી શકે છે. ધ પ્રિન્ટના અહેવાલ મુજબ ભારત અને ચીન બંને આ શિયાળામાં LAC પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી રહ્યા છે.
સરહદ પર તણાવ
ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટને ટાંકીને પ્રિન્ટે અહેવાલ આપ્યો છે કે, ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આ મહિને ફરી કમાન્ડર સ્તરની મંત્રણા થવાની છે, જેમાં અંતિમ વિવાદિત વિસ્તાર હોટ સ્પ્રિંગ પર કરાર થઈ શકે છે, જે અત્યાર સુધી બંને દેશો વચ્ચે વિવાદિત ક્ષેત્ર છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈનિકોની સતત તૈનાતી બંને પક્ષો વચ્ચે વિશ્વાસની કમીનું પરિણામ છે. લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) ની પશ્ચિમ બાજુએ તણાવ છેલ્લા વર્ષે એપ્રિલમાં સ્ટેન્ડઓફ પછી શરૂ થયો હતો અને 18 મહિના પછી પણ બંને દેશો વચ્ચે તણાવ યથાવત છે.
બંને દેશ પેંગોંગ-ત્સોથી ખસ્યા
બંને દેશોના સૈનિકો વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત બાદ ભારત અને ચીન બંને પેંગોંગ ત્સોની ઉત્તરી અને દક્ષિણ કાંઠે સામસામે આવેલા સ્થળો પરથી ખસી ગયા છે. જ કે બંને દેશો ગોગરા અને ગલવાનમાં વધારાના સૈનિકો રાખવા માંગે છે. બીજી તરફ ડેમચોક અને દેપસાંગમાં વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. જ્યારે સંઘર્ષના આ સ્થળોએ ભારતીય અને ચીની સૈનિકો સામ-સામે નથી, બંને દેશોના સૈનિકો એકબીજા પર સતત નજર રાખી રહ્યા છે અને કોઈપણ હિલચાલ સામે બદલો લેવા તૈયાર છે.
ભારત S-400 મિસાઈલ સિસ્ટમ તૈનાત કરશે
સંરક્ષણ સંસ્થાના એક સૂત્રએ ThePrint ને જણાવ્યું કે, અમે લદ્દાખમાં લડાઈ અનુભવી શકીએ છીએ ત્યારે અમે PLA (પીપલ્સ લિબરેશન આર્મી) ને વધુ સૈનિકો તૈનાત કરવા માટે મજબૂર કર્યા છે અને ચીને અહીં સૈનિકોની હાજરી જાળવી રાખવા માટે ઘણાં પૈસા ખર્ચવા પડે છે, સાથે સાથે તેમના મનોબળને પણ અસર થઈ રહી છે. બીજી તરફ આ વર્ષે ભારત એલએસી પર રશિયાથી આયાત કરવામાં આવેલી એસ-400 મિસાઇલો પણ તૈનાત કરશે. આ ઉપરાંત ભારતે કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે લદ્દાખના નજીકના વિસ્તારમાં એર બેઝ પર રાફેલ વિમાનો પણ તૈનાત કર્યા છે. માનવામાં આવે છે કે આ શિયાળામાં સરહદ પર ભારે તણાવ સર્જાઈ શકે છે.
લદ્દાખમાં તીવ્ર ઠંડી
લદ્દાખમાં શિયાળા દરમિયાન પારો -30 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે, તેથી સૈનિકોની તૈનાતી વધુ મુશ્કેલ બની જાય છે. લદ્દાખમાં લઘુત્તમ તાપમાન પહેલેથી જ 0 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શી ગયું છે, આગામી સપ્તાહમાં વધુ ઘટાડાની આગાહી છે. ગયા વર્ષે પ્રથમ વખત લદ્દાખના શિયાળા દરમિયાન એલએસીના આગળના વિસ્તારોમાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. 2020 સુધીમાં ચીની સૈનિકો પરંપરાગત રીતે તેમના પેટ્રોલિંગ પછી બેરેકમાં પાછા ફરી જતા હતા, હવે શિયાળા દરમિયાન તેમને આગળના વિસ્તારોમાં રહેવાની ફરજ પડી છે. ભારતીય લશ્કરી અધિકારીઓનું કહેવું છે કે આ એક એવી ઘટના છે જેના પર ચીનીઓએ ધ્યાન નથી આપ્યું. તેમણે કહ્યું કે જ્યારે ચીને પહેલી વખત એલએસીનું ઉલ્લંઘન કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેને ખ્યાલ નહોતો કે આ વખતે વિવાદ એટલો લાંબો ચાલશે.
શિયાળામાં ચીનની હાલત ખરાબ
ગયા વર્ષે મડાગાંઠ શરૂ થઈ ત્યારથી ચીન તેના સૈનિકો માટે શિયાળા દરમિયાન રહેવા માટે મજબૂત તંબુઓ બનાવી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, ચીની સૈનિકો કેટલાક ફિક્શન પોઈન્ટથી પીછેહઠ કરી ચૂક્યા છે, પરંતુ તે હજુ સુધી પહેલાના સ્થળોએ ગયા નથી અને એલએસીની નજીક છે. આ સાથે ચીને LAC પર નવા હેલિપેડનું નિર્માણ, હવાઈ પટ્ટીઓ પહોળી કરવી, નવી બેરેકનું નિર્માણ કરવાનું કામ ચાલુ રાખ્યું છે. બીજી તરફથી ચીન તરફથી સરહદ પર જમીનથી હવામાં માર કરતી મિસાઇલ અને રડાર તૈનાત કર્યા છે.
ભારતે સ્થિતી મજબૂત બનાવી રાખી છે
ભારતે ચીનની કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ભારતે પૂર્વી લદ્દાખ માટે શિયાળુ સ્ટોક વધાર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં વધુ માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવી છે. ભારતે માત્ર મોટી સંખ્યામાં વધારાના સૈનિકો જ તૈનાત કર્યા નથી પરંતુ 155 મીમી વજ્ર K9 સ્વ-સંચાલિત ટ્રેક હોવિત્ઝરની સંપૂર્ણ રેજિમેન્ટ પણ એલએસસીમાં તૈનાત કરવામાં આવી છે. સૂત્રો અનુસાર, ભારતે અમેરિકા પાસેથી 155 mm અલ્ટ્રા-લાઇટ વેઇટ હોવિત્ઝરની રેજિમેન્ટ પણ ખરીદી છે, જ્યારે વજ્રનો રણ અને મેદાનો માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. આમાંથી ત્રણને આ વર્ષની શરૂઆતમાં પરીક્ષણ માટે લદ્દાખ લાવવામાં આવી હતી.